Book Title: Adhyatma Sandesh
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 226
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ : અધ્યાત્મ-સંદેશ નથી. આથી કરીને કાંઈ શુભરાગ પોતે મોક્ષમાર્ગ થઈ જાય છે-એમ નથી. શુભરાગથી પુણ્યબંધ થાય છે એ વાત તો પહેલાં સ્વીકારી જ છે. “વિશુદ્ધતામાં ગર્ભિતશુદ્ધતા છે” એમ માન્યું એનો અર્થ શું થયો ? -કે વિશુદ્ધતા (શુભ) પોતે શુદ્ધતા નથી, એટલે શુભથી આગળ જઈનેતેનાથી ઊર્ધ્વ શુદ્ધતા કાંઈક જુદી ચીજ છે-એમ લક્ષમાં લીધું છે તો તે શુભમાં જ ન અટકતાં આગળ વધીને શુદ્ધતા પ્રગટ કરશે. –માટે તેને શાબાશી ! શુભમાં રોકાઈ રહે તો શાબાશ નથી કહેતા, પણ એનાથી ઊર્ધ્વ જઈને શુદ્ધતા પ્રગટ કરવાનું જેણે લક્ષમાં લીધું તેને શાબાશી કહી છે. તેથી કહેશે કે વિશુદ્ધતાની જે ઊર્ધ્વતા તે જ તેની શુદ્ધતા છે. અધ્યાત્મતત્ત્વનો અંતરમાં વૈરાગ્ય અને કષાયની મંદતા તો હોય જ. જેને કષાયની મંદતા અને વૈરાગ્ય હોય તેને જ આત્મસ્વરૂપ સમજવાની જિજ્ઞાસા જાગે. ભાઈ, અનંતકાળે તત્ત્વ સમજવાના ટાણાં આવ્યા, દેહુ કયારે છૂટશે એનો કોઈ ભરોસો નથી, –આવા કાળે જો કષાયને મુકીને આત્મસ્વરૂપ નહિ સમજ તો કયારે સમજીશ? જો સ્વભાવની પરિણતિ પ્રગટ કરીને સાથે ન લઈ જા તો તે આ જીવનમાં શું કર્યું? 5 Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246