Book Title: Adhyatma Sandesh
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 179
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાર્થ વચનિકો : ૧૫૫ પ્રશ્ન – જ્ઞાનીને જેમ જેમ ગુણસ્થાન વધે તેમ તેમ અશુદ્ધતા છૂટતી જાય ને શુદ્ધતા વધતી જાય, એટલે હેય ને ઉપાદેય શક્તિ તો વધતી જાય, પણ ગુણસ્થાનઅનુસાર જ્ઞાન પણ વધે-એ કઈ રીતે ? કોઈને ચોથું ગુણસ્થાન હોય છતાં અવધિજ્ઞાન હોય છે, ને કોઈને બારમું ગુણસ્થાન હોય છતાં અવધિજ્ઞાન નથી હોતું, તો ગુણસ્થાન વધતાં જ્ઞાનશક્તિ વધી-એ નિયમ કયાં રહ્યો? ઉત્તરઃ- અહીં સ્વયને જાણવાની પ્રધાનતા છે, કેમકે મોક્ષમાર્ગ સાધવાનું પ્રકરણ છે. મોક્ષમાર્ગ કાંઈ અવધિજ્ઞાનથી નથી સધાતો, મોક્ષમાર્ગ તો સમ્યક મતિ-શ્રુતજ્ઞાન વડે શેયને પકડવાથી સધાય છે, અને સ્વયને પકડવાની આવી જ્ઞાનશક્તિ તો ગુણસ્થાન વધતાં નિયમથી વધે જ છે. ચોથા ગુણસ્થાનવાળા અવધિજ્ઞાની કરતાં, અવધિજ્ઞાન વગરના બારમા ગુણસ્થાનવાળા જીવને જ્ઞાનમાં સ્વયને પકડવાની શક્તિ ઘણી વધી ગઈ છે. સ્વય તરફ ઢળતું જ્ઞાન જ મોક્ષમાર્ગરૂપ પ્રયોજનને સાધે છે. હવે, ગુણસ્થાન પ્રમાણે જ્ઞાનશક્તિ વધતી જાય એ ખરું, પણ એક ગુણસ્થાને ઘણા જીવો હોય તે બધાયને જ્ઞાન કાંઈ સરખું નથી હોતું, તેમજ તેમની બધાની ક્રિયા પણ સરખી નથી હોતી. એક ગુણસ્થાનવર્તી અનેક જીવોને જ્ઞાનાદિમાં તારતમ્યતા હોય પણ તેમાં વિરુદ્ધ જાત ન હોય. ચોથા ગુણસ્થાને અસંખ્ય જીવો છે તેમનો ઉદયભાવ જુદો, પણ તે બધાયા જ્ઞાનીના જ્ઞાનની જાતિ તો એક જ. બધાય જ્ઞાનીનું જ્ઞાન સ્વાશ્રયે જ મોક્ષમાર્ગ જાણે; પરાશ્રયે મોક્ષમાર્ગ માને એવું કોઈ જ્ઞાનીનું જ્ઞાન ન હોય. ઉદયભાવ તથા જ્ઞાનનો ક્ષયોપશમભાવ એક ગુણસ્થાને બધા જ્ઞાનીને ભિન્ન ભિન્ન પ્રકારનો હોય, છતાં તે ઉદયભાવના આધારે કાંઈ જ્ઞાન નથી, જ્ઞાન તો સ્વયાનુસાર છે. સ્વયનું જ્ઞાન બધા જ્ઞાનીને હોવાનો નિયમ છે, પણ અમુક ઉદયભાવ હોવો જોઈએ કે અમુક બહારનું જાણપણું હોવું જોઈએ-એવો કોઈ નિયમ નથી. કેમકે આત્માનુભવ તે મોક્ષમાર્ગ છે. આ સંબંધી “કલશટીકા માં સરસ વાત કરી છે. ત્યાં કહે છે કે “आत्मानुभव परद्रव्यकी सहायतासे रहित है। इस कारण अपने ही में अपनेसे आत्मा शुद्ध होता है।।... जीव वस्तुका जो प्रत्यक्षरूपसे आस्वाद, उसको नामसे आत्मानुभव ऐसा कहा जाय अथवा ज्ञानानुभव ऐसा कहा जाय। नामभेद है, वस्तुभेद नहीं है। ऐसा जानना कि आत्मानुभव मोक्षमार्ग है। इस प्रसंगमें ओर भी संशय होता है कि, कोइ जानेगा कि द्वादशांगज्ञान कुछ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246