Book Title: Adhyatma Sandesh
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 207
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી : ૧૮૩ ખરો મોક્ષમાર્ગ નહીં; તેમ અહીં કારણમાં ઉપાદાન તે મુખ્ય એટલે તે જ ખરું કારણ, અને નિમિત્ત તે ગૌણ એટલે તે ખરૂં કારણ નહિ, –એમ સિદ્ધાંત સમજવો. અત્યારે બહારના ઉપાદાન-નિમિત્તની વાત નથી; પોતામાં જ ઉપાદાન-નિમિત્ત બતાવવા છે, તેની ભૂમિકારૂપે સર્વ ગુણોનું સ્વાધીનપણું, અસહાયપણું બતાવીને મર્યાદા બાંધે છે. એક વસ્તુમાં અનંતા ગુણો છે પણ તેમાં કોઈને આધીન કોઈ નથી. જ્ઞાન છે માટે શ્રદ્ધા છે, કે શ્રદ્ધા છે માટે ચારિત્ર છે, એમ નથી. જ્ઞાનનું કાર્ય જ્ઞાન કરે છે, શ્રદ્ધવાનું કાર્ય શ્રદ્ધા કરે છે, આચરણનું કાર્ય ચારિત્ર કરે છે, બધા ગુણો પરસ્પર અસહાય છે. એમ જગતમાં અનંતા દ્રવ્યો છે તેમાં કોઈને કારણે કોઈ નથી; જીવ છે માટે પુદ્ગલ છે, કે પુદ્ગલ છે માટે ધર્માસ્તિકાય વગેરે છે, એમ નથી. દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે, જીવ જીવના દ્રવ્યગુણ-પર્યાયથી છે; અજીવ અજીવના દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે; બધાં દ્રવ્યો પરસ્પર અસહાય છે; દરેક દ્રવ્ય સ્વસહાયી છે ને તે પરથી અસહાય છે. કોઈ દ્રવ્ય પરની સહાય લેતું નથી કે પરને સહાય દેતું નથી. “પરસ્પરઅનુગ્રહ' વગેરે કથન ઉપચારથી છે, તે-તે પ્રકારના નિમિત્તનૈમિત્તિકસંબંધનું જ્ઞાન કરાવવા માટે છે; પણ વસ્તુસ્વરૂપની મર્યાદા સમજે તો જ તે ઉપચારનું સાચું જ્ઞાન થાય. પરથી નિરપેક્ષ ને પોતાથી સાપેક્ષએ વસ્તુસ્વરૂપની મર્યાદા છે. નિગોદનો જીવ ઊંચે આવીને મોક્ષમાર્ગને લાયક થવા સુધી આવ્યો તે કઈ રીતે? નિમિત્તાધીનદષ્ટિવાળો કહેશે કે કર્મનું જોર મંદ પડયું તેથી તે ઊંચે આવ્યો. અહીં કહે છે કે તેનો ચારિત્રગુણ જ પોતાની ઉપાદાનશક્તિથી મંદકષાયરૂપ પરિણમીને ઊંચે આવ્યો છે. જીવ નિગોદમાં કેમ રહ્યો?-કે પોતાના ભાવકલંકની પ્રચૂરતાને લીધે. જીવ નિગોદમાંથી ઊંચે કેમ આવ્યો? –કે પોતાના ચારિત્રગુણની તેવી શુભગતિને લીધે. બંનેમાં પોતાનું જ સ્વતંત્ર ઉપાદાન છે. પોતાની પર્યાયના દોષને ન જોતાં નિમિત્તને માથે દોષ ઢોળવા તે અજ્ઞાનીની અનીતિ છે. તેમજ નિમિત્તને આધીન પોતાના ગુણ માનવા તે પણ અનીતિ છે; અનેકાંતનીતિથી (એટલે કે જૈનસિદ્ધાંતથી) તે વિરુદ્ધ છે. અનેકાંત-જૈનનીતિ તો એમ કહે છે કે તારા દ્રવ્ય-ગુણ-પર્યાયની અસ્તિમાં પરની નાસ્તિ છે, માટે નિમિત્ત કાંઈ તારા ગુણદોષનું કર્તા નથી. ત્રણે કાળનો ને સર્વે પદાર્થોનો આ સિદ્ધાંત છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246