________________
-
શ્રુત ભક્તિ
( પૂ॰ આચાર્ય શ્રી ઇશ્વરલાલજી મ॰ સા॰ ની આજ્ઞા અનુસાર લખનાર ) ૬. સ. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ
તા ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ આજે લગભગ ૨૦ વર્ષથી શ્રદ્ધેય પરમપૂજ્ય, જ્ઞાનદિવાકર ૫૦ મુનિશ્રી ઘાસીલાલજી મ૦ ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર, અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિરોધ, સ્વપર કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના દ્યોતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે, તેઓશ્રી પ્રાચીન, પૌર્વોત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પંડિત છે અને જિનવાણીના પ્રકાશ સંસ્કૃત, ગુજરાતી અને હિંદીમાં મૂળ શખ્ખા, ટીકા, વિસ્તૃત વિવરણ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનદના વિષય છે.
ભ॰ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી, પરંતુ તેમની વાણી રૂપે અક્ષરદેહ ગણધર મહારાજોએ શ્રુત પરંપરાએ સાચવી રાખ્યા શ્રુતપર પરાથી સચવાતું જ્ઞાન જ્યારે વિસ્તૃત થવાના સમય ઉપસ્થિત થવા લાગ્યા ત્યારે શ્રી દેવદ્રિગણિ ક્ષમાશ્રમણે વલ્ભીપુર-વળામાં તે આગમાને પુસ્તક રૂપે આરૂઢ કર્યાં. આજે આ સિદ્ધાંતા આપણી પાસે છે. તે અ માગધી પાલી ભાષામાં છે. અત્યારે આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગણની ધ ભાષા છે. તેને આપણા શ્રમણેા અને શ્રમણીએ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાએ મુખપાઠ કરે છે; પરન્તુ તેના અર્થ અને ભાવ ઘણા ઘેાડા સમજે છે.
જિનાગમ એ આપણાં શ્રદ્ધેય પવિત્ર ધર્મસૂત્રો છે. એ આપણી આખા છે. તેના અભ્યાસ કરવો એ આપણી સૌની જૈન માત્રની ફરજ છે. તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણા સદ્ભાગ્યે જ્ઞાનદિવાકર શ્રી ધાીલાલજી મહારાજે સત્ સંકલ્પ કર્યાં છે અને તે લિખિત સૂત્રોને પ્રગટાવી શાસ્ત્રોદ્ધાર સમિતિદ્વારા જ્ઞાન પરબ વહેતી કરી છે. આવા અનુપમ કા મા સકળ જૈનોના સહકાર અવશ્ય હા ઘરે અને તેને ધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ન કરવા ઘટે.
ભ॰ મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? ભગવાન તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રુતની આરાધનાથી જીવોના અજ્ઞાનના નાશ થાય છે. અને તેએ સંસારના કલેશેાથી નિવૃત્તિ મેળવે છે. અને સ'સાર કલેશાથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતાં મેાક્ષ ફળની પ્રાપ્તિ થાય છે.
આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જૈનો, દિગ ંબરા અને અન્ય ધર્મીએ હન્તી અને લાખો રૂપીયા ખર્ચે છે. હિંદુ ધર્મમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડો નહિ પણ હજાર ટીકા ગ્રંથો દુનિયાની લગભગ સર્વ ભાષાઆમાં પ્રગટ થયા છે. ઈસાઇ ધર્માંના પ્રચારકે તેમના પવિત્ર ધર્મગ્રન્થ ખાઈબલના પ્રચારાર્થે તેનું જગતની સ