________________
ભાગીદારી–લગ્ન પછી સં. ૧૯૬૮ માં પાછા પરદેશગમન થયું. શરૂમાં
વસનજી નથુભાઈ કુ ના નામથી પેઢી ચાલતી હતી તેમાં તેઓ ભાગમાં ભળ્યા. તેમાં શ્રી વારીયા નથુભાઈ મેઘજી, શ્રી વારીયા નથુભાઈ મુળજી, શ્રી વારીયા હરખચંદ કાલીદાસ, ફેફરીયા દેવજી જીવાભાઈ તથા શા. વસનજી હીરજીભાઈ એમ પાંચ ભાગીદાર હતા તે પેઢી સ વત ૧૯૭૨ મા જુદી થઈ અને શ્રી વસનજી હીરજી કે જે સ્વબળે આગળ વધ્યા હતા તેમણે પોતાની પેઢી વસનજી હીરજીના નામથી જુદી કરી અને શા. નથુભાઈ મુળજીના નામથી પેઢી ખોલવામાં વારીયા નથુભાઈ મુળજી જેટલે જ હીસ્સે હરખચંદભાઈને હતો.
ઉપરની પેઢી––ઉપરોકત નામથી એટલે કે શા. નથુભાઈ મુળજીના નામથી
જે પેઢી શરૂ થઈ તેના પ્રાણસમાં શ્રીયુત હરખચ દભાઈ તેમના જીવનના અંત સુધી રહ્યા હતા. અત્યારે પણ તે નામને શ્રી નથુભાઈ મુળજી તેમજ શ્રી હરખચંદ કાલીદાસના વારસો ઝળહળાવી રહ્યા છે. દર દૂરના દેશાવરમાં એકધારું લગભગ ૪૫ વર્ષ થયાં કામકાજ ચાલે છે તેના સચાલનની દર શ્રી હરખચ દભાઈના હાથમાં અત સુધી રહી હતી અને તેઓશ્રીના અવસાન પછી પણ તેમના દેરેલા ચીલા ઉપર પેઢીને વ્યવહાર સરળ રીતે અત્યારે પણ ચાલે છે અત્યારના સુકાનીઓએ પોતાના પૂર્વજ શ્રી નથુભાઈ તથા શ્રી હરખચંદભાઈને અકિત કરેલ માગે પોતાની સફર ચાલુ રાખી છે અને તે સદાયે અવિચળ રહે તેવું આશિર્વચન કેઈ પણ હિન્દી ઉચાર્યા વિના રહી શકે નહીં તેવી તેની ઉત્તમ છાપ ત્યાં પડી છે અને તે નર્યું સત્ય જ છે.
હિન્દની શાન–વર્ષો થયાં એકધારું “બીઝનેસ ” ચાલતું હોવા છતાં એક
શાહ સેદાગરની જેમ નથુભાઈ મુળજીની પેઢી ઉત્તરોત્તર કુલતી ફાલતી રહી છે વ્યાપારી આંટ અને ઈજજતને એ નાદર નમુને આજે પણ એ જ ધીર ગભીરપણે પિતાનું કાર્ય ધપાવ્યે જાય છે. એકધારી લગભગ અડધી સદી થયાં ચાલતી આ પેઢીને રજ માત્ર ડાઘ લાગ્યું નથી તે તે સૌ કોઈ જાણે છે અને શાહ નથુભાઈ મુળજીની પુરાણ પેઢી માટે આજે પ્રત્યેક હિન્દી અભિમાન લઈ શકે છે. તેમાં શ્રી નથુભાઈ વારીયાનું ધર્મપ્રધાનપણુ અને શ્રી. હરખચંદભાઈનું દુર દેશીપણું. કાર્યપ્રણાલીની ઉત્તમતા અને એકનિષ્ઠા મુખ્ય ગણાય.