Book Title: Abhyasadashana Ketlak Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૨૫૪] દર્શન અને ચિંતન સામાજિક સ્થિતિના વિદ્યાર્થીને કઈ વવા તરફ્ ધ્યાન અપાય જ નહિ. ભાવિન અને વિચાર કર્યો સિવાય, ઉપયોગિતાના ખ્યાલ રાખ્યા સિવાય, પણ પુસ્તક પકડાવી દેવામાં આવે. વિદ્યાર્થી પાતે જિજ્ઞાસુ હોય અને શ્રમ ફરે તો ઠીક, નહિ તે શું ભણે છે? શી ભૂલા થાય છે? સમય કેમ કાઢે છે? એ જોનાર કાઈ જ નહિ. આવી અવ્યવસ્થાને લીધે દેશના આત્મા જેવા તક્ષ્ણ વિદ્યાર્થીઓની મેટામાં મોટી શક્તિસંપત્તિના દુર્વ્યય થતો મે જોયે છે. અને તેના ભાગ થોડેણે અંશે હું પણ અન્યા છું. કાશીમાં સંસ્કૃત ભણનાર દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ હશે એવી મારી કલ્પના છે. બધાને નિર્વાહ સુખેથી થાય છે. અન્નસત્રો સેંકડાની સંખ્યામાં છે. મોટા મેટા દાતાઓ, પડિતા અને વિદ્યાર્થીઓને નભાવે છે. પણ આ બધાની પાછળ કાઈ એક તંત્ર ન હેાવાથી તેનું પરિણામ ઓછામાં ઓછું આવે છે. -સત્રના ઘણાખરા સંચાલકા પેાતાની લાગવગના નકામા વિદ્યાર્થીઓને દાખલ કરે અને મળતા દાનના પેાતાના સ્વાર્થમાં ઉપયોગ કરે. આની વિરુદ્ધ કાઈ હિલચાલ ન કરે તેમ જ કાઈ ઊંચું માથું ન કરે. કારણ એ કે, એવા વિરાધ કરનાર ડગલે તે પગલે ડરે. જ્યારે માલવિયજીએ હિંદુ યુનિવર્સિટી સ્થાપવા માટે પહેલવહેલાં વિચાર પ્રગટ કર્યાં અને કાંઈક પ્રયત્ન શરૂ કર્યાં ત્યારે કેટલાક વિશિષ્ટ પડિતા પાસેથી અમે સાંભળેલું કે માલવિયછ પૈસા એકડા કરી ઉડાવી જવાના છે; અથવા પોતાના જ કબજામાં રાખવાના છે. કાશીના અતિસંકુચિત અને ગુડાશાહી વાતાવરણુના ભયની અસર માલવિય૭ના કામળ હૃદય ઉપર થોડી ઘણી તો છે જ, એવી મારી કલ્પના છે, સંવત ૧૯૬૦ થી ૧૯૬૩ સુધીનાં ત્રણ વર્ષોં મેં જે પાશાળામાં કાઢ્યાં તે અમારે માટે ખારું જનાનખાનું હતું. ગંગા બહુ જ નજીકમાં હતી; પણ એટલા વખતમાં અમે ત્યાં એક વાર નાહ્યા હતા. પાસે જ કરવાના ખગે છે, અને બીજી જેવા જેવી સંસ્થાએ છે પણ અમે તેથી લગભગ અસ્પૃશ્ય રહ્યા હતા. કાશીનું પ્રસિદ્ધ કરવત મુકાવવાનું સ્થાન અમારી તદ્દન નજીક હતું; પણ એ મેં ત્યાં સુધી નહિ જોયેલું. ખીજી અતિહાસિક મહસ્વતી અને જ્ઞાન મેળવવાની દૃષ્ટિએ મહત્ત્વની ઘણી જ જગ્યાએ અને સંસ્થાએ ત્યાં છે, જેને જેવા દૂર દૂરથી માણસા આવે છે; પણ મે‘ એમાંનું કશું લગભગ જોયું ન હતું. કસરત કરવી શા માટે? એમાં તે વખત શા માટે કાઢવા? શરીર તે ક્ષણિક છે જ; તે માટે બહુ મમત્વ શા માટે? આ ઉપદેશ અમારે કાને પડ્યા કરતા. આ બધું સંસ્થા સંચાલકાની, સંચાલક દૃષ્ટિએ, યોગ્યતા ન હેાવાનું ખાસ પરિણામ હતું, એમ મારે સ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16