Book Title: Abhyasadashana Ketlak Smarano Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણ [૧] ઉમર ૧૬ વર્ષની હતી ત્યારે ચોમેર જ નહિ પણ દશે દિશામાં અંધારું ફેલાયું. શારીરિક બધી સ્વતંત્રતાઓ લગભગ બંધ પડી. ઉંમરોગ્ય અને સહજ ચપળતાએ માર્ગ વિના રૂંધાવા લાગી. જેમ બધાને હોય છે તેમ મને પણ મોટી ખામી એ જ હતી કે કોઈ યોગ્ય માર્ગદર્શક ન મળે. આજે મિત્રનો જે અર્થ સમજું છું તે જોતાં તે એમ લાગે છે કે જીવનમાં બીજું કશું જ ન હોય અને એક તેવો મિત્ર હોય તે બસ છે. મૃત્યુલેકનું સ્વર્ગ મિત્રમાં છે એની પ્રતીતિ એ આંખે ગયા પછીના જીવનમાં આવી પડેલી મુશ્કેલી અને સલાહકારકના અભાવના સ્મરણથી બરાબર થાય છે. એક બાજુ જ્ઞાનનું મુખ્ય દ્વાર બંધ પડયું. જે દ્વારે ઉધાડાં હતાં અથવા ઊઘડી શકે તેવાં હતાં તેની કુંચી પાસે છતાં બતાવનાર કોઈ ન હતું. અને બીજી બાજુ જીવન કેઈક નો માર્ગ શોધી રહ્યું હતું. નવા માર્ગની– ખાસ કરી જ્ઞાન મેળવવાના માની-ડી તાલાવેલી દર ક્ષણે અકળાવી મૂકતી. સંવત ૧૯૫૩ના ચોમાસામાં એ અમૂંઝણના દિવસે જતા. સદ્ભાગ્યે એ નાનકડા ગામડામાં પણ જૈન ધર્મસ્થાન તે જ વખતે નવું થયું હતું. ત્યાં જવું અને સાંપ્રદાયિક ક્રિયાકાંડમાં પડવું એ પ્રાથમિક પ્રવૃતિ શરૂ થઈ દેખ હતા ત્યારે પણ જૈન સાધુએ તરફ ભક્તિભાવ, તેઓની પાસે જવું, કાંઈક સાંભળવું અને તેઓ કહે તેમ જ આપે તેવા નિયમ લેવા. ખાસ કરી તે ખાવુંપીવું નહિ. જૈન સાધુદશામાં હોય છે તેવા નિયમમાં સ્નાનને ત્યાગ વગેરે નિયમે લેવા એ ટેવ જ હતી. આ ટેવ આંખ ગયા પછી ઉપા. શ્રયમાં હમેશાં રહેવા અને સતત ક્રિયાકાંડમાં પડવાથી વધારે પિલ્લાઈ પણ આ વ્રતનિયમ કરતાં અસંતોષ તે રહેતે જ, મન કાંઈ બીજું જ માગી રહ્યું હતું. હું પોતે પણ સ્પષ્ટ નહેતે સમજતો અને બીજાઓ સમજે તેવા ભેટયા જ ન હતા. છતાં એ ઉપાશ્રયમાં જે કેટલાક ક્રિયાકાંડ કરવા ઘરડાબુકા, જુવાનો અને છોકરાઓ આવતા તેમાંના ધણુક ભજનો-જેને જૈન ભાષામાં “સઝઝાય સ્તવન” કહે છે—ગાતા અને રાસે વાંચતા. એ તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16