Book Title: Vyakhyan Sahitya Sangraha Part 03
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

View full book text
Previous | Next

Page 533
________________ પરિચ્છેદ. રાગદ્વેષદાષાધિકાર, ------ www ~~~~~~~~~~~~ ઉપર સમભાવ આવે છે, પેાતાનાં કે પારકાં છેાકરાં સ્રી કે અનેક વસ્તુઓમાં તફાવત જણાતા નથી અને તેને પરિણામે મનમાં એક એવા વિશુદ્ધ ભાવ આવી જાય છે કે તેથી ખાસ અનુભવ કરવાલાયક એક ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે. ૫૦૧ આવી મહાન્ ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થતાં જે રાગદ્વેષ અજ્ઞાનને જન્મ આપે છે, અનાદિ મિથ્યાત્વને પોષે છે અને ચેતનજીનાં જ્ઞાનચક્ષુપર અધી ચઢાવે છે તેના એકદમ નાશ થઇ જાય છે. આ અજ્ઞાન-મિથ્યાત્વ જીવને કેટલેા ત્રાસ આપે છે તે સમજવું સહેલું છે. આ સંસારમાં જેટલું મિથ્યાત્વ રખડાવે છે તેટલું અન્ય કોઈ રખડાવતું નથી. મિથ્યાત્વથી માહ–મેહથી રાગદ્વેષ અને તે સથી અનેક અનર્થ પર પરા ચાલે છે. એકાંત ધર્મ પર ચિ થવી, વિશુદ્ધ આત્મસ્વરૂપ શેાધવા તરફ અલક્ષ્ય અતાવવું, પેાતાના અભિનિવેશેાને મજબૂતીથી વળગી રહેવું વિગેરે અનેક રીતે આ ચેતનનાં જ્ઞાનચક્ષુને આવરણુ કરનાર, ભ્રમિત સ્થિતિમાં નાખી દેનાર અને ઉન્મત્તની પેઠે ચેષ્ટા કરાવનાર અજ્ઞાનજન્ય અને અજ્ઞાનજનક મિથ્યાત્વ છે. ખાદ્ય ઢષ્ટીએ ઘણું ભણી ગયેલા માણુસા પણ એના જોરથી એવા માયાભ્રમમાં પડી જાય છે કે અશ સત્યને સંપૂર્ણ સત્ય માની વસ્તુતત્ત્વ ગ્રહણ કરતા નથી, કાઇ શુદ્ધ તત્ત્વ ખતાવે તેા તે તરફ પ્રીતિ મતાવતા નથી અને આગ્રહમાં પડી જઇ પૂર્ણ સત્યને દાખી દેછે. આટલા માટે રાગદ્વેષ અનત સંસારચક્રમાં ભ્રમણુ કરાવનાર છે અને તેથી તેના નાશ કરવા ખાસ દઢ ભાવના કરવી જોઇએ એ બહુ ઉપયોગી ખાખત છે. વળી ચેતનજી કહે છે કે અનંતકાળથી પ્રાણી જેનાવડે મરતા આવ્યા છે તે કાળને હવે હું મટાડી દઈશ. અત્યાર સુધી કાળ–મરણને વશ પડીને પ્રાણીને અનતાં મરણા કરવાં પડ્યાં છે તે મરણને હવે મટાડી દઇશ એટલે હવે મારે અનાદિ મરણે મરવું પડશે નહિ અથવા તે એટલે ઉપયુક્ત રાગઢષથી પ્રાણી અનંતકાળ સુધી મરતા આવ્યા છે તેનું કારણ બંધ પડી જવાથી મરણનેજ મટાડી દેશું. અજ્ઞાનદશામાં સંસારચક્ર અનંત હાય છૅ, વિરતિ ગુણુ પ્રાપ્ત થયા પછી તે ઓછું થતું જાય છે અને છેવટે આ પ્રાણીની ક્રમ થી મુક્તિ થાય છે ત્યારે મરણજન્મ ખિલકુલ થતાં નથી. તેથી કર્મપ્રચુરતાન્ય રાગદ્વેષના નાશ કરવાથી અમરપણાની પ્રાપ્તિ થાય છે. કારણના નાશ થવાથી કાના નાશ થઇ જાય એતા સ્વભાવસિદ્ધ નિયમ છે અને અહીં મરણનાં કારણભૂત રાગદ્વેષના નાશ થઈ જવાથી અથવા તેઓ ઉપર કાણુ આવી જવાથી તેના કાર્ય ભૂત ક્રમ ધનના નાશ થવાના એ સિદ્ધ નિયમ છે અને તેમ થવાથી કર્મના એક આવિર્ભાવ મરદશા તે પણ અટકી જવાની એમાં જરાપણ સદેહ

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592