Book Title: Vitrag Stuti Sanchay 1151 Stuti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
વીતરાગ સ્તુતિ સંચય
[૩૫] જે બીજ ભૂત ગણાય છે. ત્રણ પદ ચતુર્દશપૂર્વના ઉપનેઈ વા વિગમેઈ વા ધુવેઈ વા મહાતત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
એ ચૌદપૂના રચે છે સૂત્રસુંદર સાથે જે, તે શિષ્યગણને સ્થાપતા ગણધર પદે જગનાથ જે, ખેલે ખજાનો ગુઢ માનવ જાતના હિત કારણે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૩૭] જે ધર્મતીર્થકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને સુર અસુર સહ વંદન કરે, ને સર્વ ભૂત, પ્રાણી, સત્વ શું કરૂણ ધરે, એવા પ્રભુ અરિહંતને પંચાગ ભાવે હું નમું.
[૩૮] જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચકવતી પૂજતાં ભાવે બહુ, જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હણ્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૩૯] જે છે પ્રકાશક સૌ પદાર્થો જડ તથા ચૈતન્યના, વર શુક્લ લેશ્યા તેરમે ગુણસ્થાનકે પરમાતમા, જે અતિ આયુષ્ય કર્મને કરતા પરમ ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 222