________________
રત્નાકર પચ્ચીશી (૩)
[ ૩૧ [૧૫૦] હું શુદ્ધ આચારો વડે સાધુ હદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો, વળી તીર્થનાં ઉદ્ધાર આદિ કઈ કાર્યો નવ કર્યો, ફેગટ અરે! આ લક્ષ ચોરાશીતણું ફેરા ફર્યા.
[૧૫૧ - ગુરૂવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને દુનતણાં વાક્યોમહી શાન્તિ મળે કયાંથી મને? તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાને ઘડે જળથી ભરાયે કેમ કરી?
[૧૨] મેં પરભવે નથી પુણ્ય કીધુ ને નથી કરતે હજી, તે આવતા ભવમાં કહે કયાંથી થશે હે નાથ ભૂત ભાવિને સાંપ્રત ત્રણે ભવ નાથ હું ! હારી ગયા, - સ્વામી! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો.
[૧૫૩] અથવા નકામું આપ પાસે નાથ? શું બકવું ઘણું, હે! દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પિતાતણું, જાણે સ્વરૂપ ત્રણ લેતુ તે મારું શું માત્ર આ ? જ્યાં કોડને હિસાબ નહિં ત્યાં પાઈની તે વાત કયાં.
[૧૫૪] હારાથી ન સમર્થ અન્ય દીનને ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતા જડે હે વિભુ, મુક્તિમંગલ સ્થાન તેય મુંજને ઈચ્છા ન લક્ષમી તણી, આપે સમ્યગુરન શ્યામ જીવને તે તૃપ્તિ થાયે ઘણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org