________________
રિ૮
વીર રામમૂર્તિ “ભલે મરી જવાય પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં.”
એક વાર પ્રાંગધ્રામાં એકસો ને બાર કિલોમીટરની ઝડપે જતી પચીસ હોર્સપાવરની મોટર રોકવા પ્રયત્ન કર્યો. રામમૂર્તિ પેતરો જમાવીને બરાબર ઊભા રહે એ પહેલાં તો હાંકનારે મોટર હાંકી દીધી. મોટરનો આંચકો આવતાં એમના પગની પિંડી ઊતરી ગઈ, તેઓ બેભાન થઈ ગયા. તરત દાકતરને બોલાવવામાં આવ્યા. એમણે બેભાન રામમૂર્તિને શુદ્ધિમાં આપ્યા. (ચિત્ર જુઓ પાનાં નં. ૨૬) એમનો પગ બરાબર કર્યો. પગમાં અસહ્ય વેદના થતી હતી છતાં પાટો બાંધીને લંગડાતાં- લંગડાતાં રામમૂર્તિ મેદાન પર આવ્યા. લોકો તો નિરાશ થઈને વીખરાઈ રહ્યા હતા એવામાં રામમૂર્તિને મેદાન પર આવેલા જોઈને બધા આભા જ બની ગયા. બધાએ એમને ના પાડી પણ એમણે કહ્યું,
“ભલે અહીં મારું મોત થાય પણ પાછો નહીં પડે.”
અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધીને પચીસ હોર્સપવરની એકસો ને બાર કિલોમીટરની ઝડપે જતી મોટરને એક વાર નહીં, બે વાર નહીં, પરંતુ તેર વખત રોકી ! - ઈ.સ. ૧૯૦૭માં મુંબઈમાં દાંતથી ત્રાજવામાં મૂકેલા ઘોડાને ઉઠાવવાના પ્રયોગમાં તેમણે બે દાંત ગુમાવી દીધા. ત્રાજવામાં ઘોડાને ઊભો રખાવી રામમૂર્તિ ઊંચે ઊભા