Book Title: Veer Rammurti
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Trust

View full book text
Previous | Next

Page 33
________________ [૩૨] વિર રામમૂર્તિ દષ્ટાંતો ક્યાં ઓછાં છે! તમે હનુમાન બનો, ભીષ્મ કે ભીમ બનો, લક્ષ્મણ બનો. હસમુ ચહેરો હજાર ઔષધિઓ કરતાં સારો છે એમ કહીને ચિંતા અને વિષાદથી ઘેરાયેલા આજના યુવકોને તેઓ ચીમકી આપતા. નાનાંમોટાં અનેક સંકટો રામમૂર્તિ પર આવતાં હતાં. અજોડ મનોબળ અને શરીરબળને સહારે એ તમામને તે પાર કરી જતા... પરંતુ આખરે આવા જ એક સંકટને કારણે રામમૂર્તિને પોતાનું ક્ષેત્ર છોડવું પડ્યું. ઈ.સ. ૧૯૨૫માં સિમલામાં તેઓ પોતાના અંગબળ ના પ્રયોગો બતાવી રહ્યા હતા. છાતી પર હાથી ઊભો રાખવાનો એ પ્રયોગ હતો. તેમાં હાથીનો પગ એમના ડાબા પગ પર પડ્યો, એટલો ભાગ છુંદાઈ ગયો, પરિણામે ઘૂંટી આગળથી ડાબો પગ કપાવી નાખવો પડ્યો. આ અકસ્માત થતાં રામમૂર્તિ હવે પોતાના અંગબળના પ્રયોગો દર્શાવી શકે તેમ નહોતા પરંતુ આ સમયે કંઠીરવ તિલકકોડી રામમૂર્તિ નાયડુ ત્રીજા રૂપમાં દેખાયા. ભારતવર્ષના યુવકોનો ઉદ્ધાર' એ એમનું જીવનસૂત્ર બન્યું. આવા જુવાનોને દેશના ખૂણેખાંચરેથી શોધીને એમણે તન, મન અને ધનથી સહાય કરી. યુવકશક્તિને અજેય

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42