Book Title: Suvarna Chandraka Samarambha Prasange
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [ ૪ ] આ ચક-અપ ણુના વિધિ વૈયક્તિક છે એમ હું નથી સમજતે. અમુક વ્યક્તિ બીજી કાઈ ખાસ વ્યક્તિને જ્યારે આવું કાંઈ અર્પણ કરે ત્યારે તે વિધિ વૈયક્તિક બને છે, પણ હું તે આવા વિધિને માત્ર શાસ્ત્રીય જ્ઞાન તેમ જ સત્યશોધક વૃત્તિની મૂલવણીની વિધિ સમજું છું, તેથી આવા વિધિ પ્રસંગે મારે કાઈ ને! આભાર માનવાપણું રહેતું જ નથી. આવી અપ વિધિમાં એક અથવા ખીજી રીતે ભાગ લેનાર બધા જ શાસ્ત્ર, જ્ઞાન તેમ જ સત્યસાધક વૃત્તિના એકસરખા પૂજારી છે. જ્યાં પૂજા એક જ ઢાય અને તે એક જ ગુણની ત્યાં એમાં ભાગ લેનાર ગમે તેટલા હોય છતાં ક્રાણુ કાના આભાર માને કુળમા થી જુદા પડવાનું કારણ સ્વાભાવિક રીતે જ અહીં ઉપસ્થિત હોય એવા બધાને કુતૂહલ થયા વિના ન રહે, કે મારા જેવા લાચાર સ્થિતિમાં પડેલ માણસ છેવટે સત્યસંશોધનને ભાગે કેવી રીતે વળ્યો? તેથી હું મારા જીવનને લગતા એટલા જ ભાગની ટૂંકમાં કથા કહું તો તે કેટલેક અંશે બણાખરાને પોતાની જીવનકથા સાથે મળતી દેખાશે અને એમાંથી અચરજ કે અદ્ભુતતાનું તત્ત્વ આપેા—આપ ઓછું થઈ જશે, જેથી જીવનની સહેજ સપાટીને વિચાર પણ કરી શકાય. જે કુળ કે વશમાં શાસ્ત્રીય જ્ઞાનના ભાગ્યે જ વારસા ચાલ્યેા આવત હોય તેવા માત્ર વ્યાપારજીવી કુળમાં જન્મવા અને ઉછેર પામવા છતાં હું કુલમાથી જુદે રસ્તે ગયા તેનું મુખ્યત્વે એકમાત્ર કારણ જિજીવિષા છે. જીવનની ઈચ્છા બળવતી હાય ત્યારે તે પોતાની સિદ્ધિ માટે કાઈ તે કાઈ રસ્તે કાંકાં મારે છે. એમાંથી કયારેક સામાન્ય રીતે કહ્યું ન હેાય તેવું પરિણામ પણ આવે છે સોળેક વર્ષની ઉંમરે મારુ નેત્રાદ્વૈતનું વિશ્વ અલેપ થયું અને અધકારાતૢતનું વિશ્વ આવિર્ભાવ પામ્યું. શ્રવણેન્દ્રિય કુંઠિત થાય ત્યારે અગર નાસિન્દ્રિય કામ કરતી બંધ પડે ત્યારે મુશ્કેલી અવશ્ય અનુભવાય છે. છતાં બીજી ક્રાઈપણ ઈન્દ્રિયના વધ કરતાં નેત્રને વધુ વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 14