Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ ॐ-सूक्तोपनिषद् - to • સમાધિતંત્ર • देहेष्वात्मधिया जाताः, પુત્રામાવવિશ્વના: सम्पत्तिमात्मनस्ताभि ચત્તે દા ત ના૧૪ના શરીરમાં આત્મબુદ્ધિથી આ મારો પુત્ર, આ મારી પત્ની વગેરેની કલાના થઈ છે. અને એ કલાનાઓથી જગત પોતાની સંપત્તિ માને છે, ખરેખર, જગત મોહના પ્રહારોથી હણાયેલું છે. ૮ • -સૂeોનષત્ છે. यत्परैः प्रतिपाद्योऽहं, यत्परान् प्रतिपादये। उन्मत्तचेष्टितं तन्मे, યદં નિર્વિવવવ III બીજા જે મારી સાથે વાત કરે છે, અને હું બીજા સાથે વાત કરું છું, તે મારી ઉન્મત્ત જેવી ચેષ્ટા છે, કારણ કે હું તો નિર્વિકલ્પક છું. (શુદ્ધ આત્મસ્વરૂપમાં વિકલ્પ પણ સંભવિત નથી, તો વાત કરવાનો તો ક્યાં અવકાશ રહ્યો ?). मूलं संसारदुःखस्य, देह एवात्मधीस्ततः। त्यक्त्वैनां प्रविशेदन्त बहिरव्यापृतेन्द्रियः।।१५॥ શરીરમાં આત્મબુદ્ધિ એ જ સંસારદુઃખનું મૂળ છે. માટે તેનો ત્યાગ કરીને બાહવિષયોમાં ઈન્દ્રિયોના વ્યાપારનો ત્યાગ કરીને અંદર પ્રવેશ કરવો જોઈએ. यदग्राह्यं न गृह्णाति, गृहीतं नापि मुञ्चति। जानाति सर्वथा सर्वं, તત્વસંવેદનનારા જે અગ્રાહ્ય એવા પૌદ્ગલિક ભાવનું ગ્રહણ નથી કરતું અને ગૃહીત એવા જ્ઞાનાદિ ભાવને છોડતું નથી, સર્વથા સર્વ વસ્તુ જાણે છે, તેવું માત્ર સ્વયં અનુભવવા યોગ્ય એવું મારું સ્વરૂપ છે. यन्मया दृश्यते रूपं, તન્ન નાનાનિ સર્વથામાં जानन्न दृश्यते रूपं, તતઃ વેન ત્રિવીચના૧૮. મને જે રૂપ દેખાય છે તે સર્વથા જાણતું જ નથી. (કારણ કે તે પૌદ્ગલિક હોવાથી જડ છે.) અને જે રૂપ જાણે છે, તે દેખાતું જ નથી.(કારણ કે જ્ઞાતાસ્વરૂપ આત્મા અતીન્દ્રિય છે.) તો પછી હું કોની સાથે વાત કરું ? उत्पन्नपुरुषभ्रान्तः, स्थाणौ यद्वद्विचेष्टितम् । तद्वन्मे चेष्टितं पूर्व, દેહધ્યાત્મવિશ્વના તારા જેને ઝાડના ઠૂંઠામાં ‘આ કોઈ પુરુષ છે' એવી ભ્રાન્તિ ઉત્પન્ન થઈ છે, તે જેમ વિચિત્ર ચેષ્ટા કરે છે. એમ શરીર વગેરેમાં ‘આ આત્મા છે” એવી ભ્રાન્તિથી મેં પણ પૂર્વે વિચિત્ર ચેષ્ટા કરી છે. [32]

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50