Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 46
________________ ૮૬ -સૂeોનિક છે શકાય એવા પેટને પૂરવા માટે સાગરને પીવે છે. જ્યારે જલઘર તો ગ્રીખથી ભરેલા જગતના સંતાપને દૂર કરી દે છે. છે. તૂરોપનિષદ્ चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति, सत्सङ्गतिः कथय किं न करोति पुंसाम् ?॥ સત્સંગ બુદ્ધિની અજ્ઞતાને દૂર કરે છે. વાણીમાં સત્યનું સિંચન કરે છે. સ્વમાનની ઉન્નતતા અર્પે છે. પાપને દૂર કરે છે. ચિત્તને પ્રસન્ન કરે છે, દિશાઓમાં કીર્તિને ફેલાવે છે. ખરેખર, સત્સંગથી પુરુષોને કયો લાભ નથી થતો ? (વસત્તતિના) व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती, रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । आयुः परिस्रवति भिन्नघटादिवाम्भो, लोकस्तथाप्यहितमाचरतीति चित्रम् ।। અત્યંત તર્જના કરતી વાઘણ જેવી જરા ઉભી છે, અને રોગો શત્રુઓની જેમ શરીર પર પ્રહારો કરે છે. જેમ ભાંગેલા ઘડામાંથી પાણી ઝરે તેમ આયુષ્ય અત્યંત ગળતું જાય છે. અને આમ હોવા છતાં પણ લોક પાપ આચરણ કરે છે. એ આશ્ચર્ય છે. ( નાની) मनसि वचसि काये पुण्यपीयूषपूर्णाः, त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं, निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ।। મન-વચન અને કાયામાં પવિત્રતારૂપી સુધાથી જે પૂર્ણ હોય, ત્રણે ભુવનોને ઉપકારોની શ્રેણિઓથી આનંદિત કરતા હોય, હંમેશા બીજાના પરમાણુ જેવડા નાના ગુણોને પણ પર્વત જેવા કરીને જોતા જોતા પોતાના હૃદયમાં પ્રમોદ ભાવથી ઉલ્લાસ પામતા હોય એવા સજ્જનો કેટલા છે ? (શાર્દૂનવોદિતમ્) क्षुद्राः सन्ति सहस्रशः स्वभरणव्यापारमात्रोद्यताः, स्वार्थो यस्य परार्थ एव स पुमानेका सतामग्रणीः । दुष्पूरोदरपूरणाय पिबति स्रोतःपति वाडवो, जीमूतस्तु निदाघसम्भृतजगत्सन्तापविच्छित्तये ।। જેઓ માત્ર પોતાનું જ પેટ ભરવાની પેરવીમાં ઉઘત છે એવા ક્ષુદ્ર જીવો તો હજારો છે. પણ જે પુરુષને મન પરાર્થ એ જ સ્વાર્થ છે, તે સજ્જનોનો અગ્રણી છે. વડવાનળ પોતાના દુઃખેથી પૂરી (ત્ર થરા) नम्रत्वेनोन्नमन्तः परगुणकथनैः, स्वान् गुणान् ख्यापयन्तः, स्वार्थान् सम्पादयन्तो विततपृथुतराऽऽरम्भयत्नाः परार्थे । क्षान्त्यैवाक्षेपरुक्षाक्षरमुखरमुखान्, दुर्मुखान् दूषयन्तः सन्तः साश्चर्यचर्या जगति बहुमताः, कस्य नाभ्यर्चनीयाः ?।। જેઓ નમ્રપણાથી ઉન્નત છે. બીજાના ગુણોને કહેવા દ્વારા પોતાના ગુણોને જણાવે છે. પરાર્થમાં વિસ્તૃત અને વિશાળ આરંભનો યત્ન કરવા દ્વારા સ્વાર્થનું સંપાદન કરે છે. આક્ષેપથી ઠક્ષ અક્ષરો કહેવામાં વાચાળમુખવાળા દુર્મુખોને ક્ષમાથી જ દૂષિત કરતા એવા આશ્ચર્યભૂત ચર્યાવાળા એવા સજ્જનો જગતમાં કોને બહુમત અને પૂજનીય ન હોય ? [46]

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50