Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 34
________________ સૂરોપનિષદ્ - દર परस्मान्मुच्यते बुधः।।४३॥ જે પોતાનાથી છૂટી જાય છે, એ પ» અહમતિ (પોતાને) બાંધે છે (બીજામાં ‘આ હું છું.” એવું માને છે.) એ આશંકિત છે અને જે પરથી છૂટી જાય છે એ સ્વમાં જ અહંમતિ બાંધે છે. (પોતાનામાં જ ‘આ હું છું’ એમ માને છે.) અને એ પ્રબુદ્ધ આત્મા સંસારથી મુક્ત થાય છે. -સૂરોપનિષદ્ 5. तत् ब्रूयात् तत् परान् पृच्छेत्, तदिच्छेत तत्परो भवेत। येनाविद्यामयं रूपं, વજ્યા વિદ્યાર્થ વ્રનેત્ાાલરૂTI તે જ બોલવું, તે જ બીજાને પૂછવું, તે જ ઈચ્છવું અને તેમાં જ તત્પર થવું, કે જેનાથી અવિધામય રૂ૫ને છોડીને વિધામય રૂપની પ્રાપ્તિ થઈ શકે. अचेतनमिदं दृश्य मदृश्यं चेतनं ततः। क्व रुष्यामि क्व तृष्यामि, मध्यस्थोऽहं भवाम्यतः।।४६।। જે આ દૃશ્ય (શરીરાદિ) છે એ અચેતન છે અને જે ચેતન છે તે (આત્મા) અદેશ્ય છે. હવે હું કોના પર રોષ કરું ને કોના પર તોષ કરું ? (જs પર રોષ-તોષ કરવાનો કોઈ અર્થ નથી અને ચેતન તો દેખાતો જ નથી.) માટે હું મધ્યસ્થ બની જાઉં છું. बहिस्तुष्यति मूढात्मा, पिहितज्योतिरन्तरे। तुष्यत्यन्तः प्रबुद्धात्मा, દિવ્યવૃત્તઋતુ: T૬૦ મૂઢ આત્માની આંતરિક જ્યોતિ આવૃત થઈ જાય છે અને તે બહિર્ભાવોમાં આનંદ પામે છે. જ્યારે પ્રબુદ્ધાત્મા બાહ્ય કૌતુકોથી વ્યાવૃત થઈને આંતરજગતમાં જ સંતોષ પામે છે. जगदेहात्मदृष्टीना, વિશ્વાર્થ રમેવ રા स्वात्मन्येवात्मदृष्टीनां, વ વિશ્વાસ વ વા રતઃ ?I૪૬ll શરીરમાં જેને ‘આ હું છું' એવી દૃષ્ટિ છે, તેમને જગત વિશ્વાસપાત્ર અને રમણીય લાગે છે, પણ જેને પોતાના આત્મામાં જ આ હું છું” એવી દૃષ્ટિ છે એને ક્યાં વિશ્વાસ થાય અને ક્યાં રતિ થાય ? स्वबुद्ध्या यावद् गृह्णीयात्, कायवाक्चेतसां त्रयम्। संसारस्तावदेतेषां, મેવાખ્યાને તુ નિવૃતિ પાદરા જ્યાં સુધી શરીર, વાણી અને ચિત્તની ત્રિપુટીનું સ્વબુદ્ધિથી ગ્રહણ કરે (શરીરાદિ હું છું તેમ માને) ત્યાં સુધી તેનો સંસાર છે અને એ મારાથી ભિન્ન છે એવો અભ્યાસ થાય ત્યારે મોક્ષ થાય છે. [34].

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50