Book Title: Shrutsagar 2016 01 Volume 02 08
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR January-2016 પોતાના શુદ્ધ ધર્મના ઉપયોગમાં સ્થિરતા ધારણ કરીને તટસ્થપણે શરીરાદિકના શુભાશુભમાં વર્તવું એવું શુદ્ધ તપ તે જ્ઞાનયોગ છે. જ્ઞાન યોગીને સર્વ પ્રકારના એકાનિક આગ્રહો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સંબંધી છૂટે છે અને તે સુખમય પોતાને અનુભવે છે. જ્ઞાનયોગ દશામાં શું થાય છે? न परप्रतिबन्धोऽस्मिन्नल्पोप्येकात्मवेदनात्। शुभंकर्मापिनैवात्र व्याक्षेपायोपजायते ॥६॥ अध्यात्मसार ॥ એક શુદ્ધાત્મ સ્વરૂપના વેદનથી અર્થાત્ અનુભવથી જ્ઞાનયોગમાં પરનો પ્રતિબંધ હોતો નથી. જ્ઞાનજ્યોગમાં શુભકર્મ પણ વ્યાક્ષેપાળું થતું નથી. જ્ઞાનયોગીને શુભકર્મથી પ્રતિબન્ધ થતો નથી. જ્ઞાનયોગીને શુભકર્મ મોક્ષ પ્રાપ્તિમાં વિદનભૂત થતું નથી એવો ભાવાર્થ પ્રગટે છે. આત્મજ્ઞાનીને શુભાશુભનો પ્રતિબન્ધ નથી, કારણ કે આત્માના સ્વરૂપનું વદન થતાં શુભાશુભ કર્મની પરિણતિ ધારા વહેતી નથી તેમજ પ્રારબ્ધ રૂપ શુભાશુભ વેદતાં હર્ષશોકની પરિણતિના અભાવે નવીન કર્મ બંધાતાં નથી. આવી જ્ઞાનયોગીની આન્તરિક દશા હોય છે. સાક્ષીભૂત થએલો એવો આત્મજ્ઞાની જે જે દેખે છે અને બાહ્યથી પ્રસંગોપાત્ત જે જે કરે છે તેમાં તે પ્રતિબન્ધ પામતો નથી. જ્ઞાત્યોગીએ ભૂતકાળમાં અશુદ્ધ અનન્ત પર્યાયો કર્યા તેમાંથી તે કયા પર્યાયમાં લપટાય? અર્થાત્ કોઇમાં પણ લપટાય નહિ. વર્તમાનમાં પણ અનેક ઔપચારિક પર્યાયોને આત્માના સંબંધે જાણે છે દેખે છે પણ તેમાં તે પ્રતિબન્ધ પામતો નથી. જ્ઞાનયોગમાં ઔપચારિક પર્યાયોનું અહત્વ મમત્વ નહિ ભાસવાથી ભલે શરીર વાણીથી પ્રસંગોપાત્ત જે જે કરાય પણ તેમાં પ્રતિબન્ધ ક્યાંથી હોઇ શકે? અર્થાત્ ન હોઇ શકે. આવી જ્ઞાનયોગ દશામાં જે જે આંખે દેખાય છે તે તે અન્તરથી આંખે જુદું દેખાય છે અને ભિન્નત્વનો તેમાં અનુભવ થાય છે. આવી દશાથી દુનિયાની દૃષ્ટિએ જ્ઞાનયોગી બાહ્ય જગત્માં જે રૂપે છે. તે રૂપે તે અત્તરની દૃષ્ટિએ નથી એમ દિવ્ય જ્ઞાનીઓ જાણી શકે છે. બાહ્યના સાનુકૂલ વા પ્રતિકૂળ સંયોગોમાં, ખાવામાં, પીવામાં, રહેવામાં, અનેક પ્રકારની શારીરિક | ક્રિયાઓ કરવામાં આત્મજ્ઞાનીને પ્રતિબન્ધ નથી. જે કંઇ કરે છે, ભોગવે છે, તેમાં હું એવી અહંવૃત્તિથી આત્મજ્ઞાની પ્રતિબધુમાં પડતો નથી. જ્ઞાનયોગી કર્મયોગના અમુક આચારોમાં હું એવી અહંવૃત્તિથી બંધાતો નથી. તે રાત્રે ગૌ રે, જ્ઞાની सबही अचंभ, व्यवहारे व्यवहारसु, निश्चयमें थिरथंभ आत्मानी शुम भो કરે છે તેમાં તે “ર્મવેવાથલારસ્તે મ ીવન” આવી પ્રવૃત્તિ કરતો હોવાથી શુભ કર્મો પણ તેને નડતાં નથી, કારણ કે અન્તરથી શુભાશુભવૃત્તિના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36