Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 401
________________ ક +- - [ રૂદ્દ ] श्राद्धविधिप्रकरण । વગેરે થાય છે. એવી વાત સંભળાય છે કે-કે બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતું, તે બીજાને પગલે પગલે પરાભવ કરતે હતો. બીજે દરિદ્રી હેવાથી પહેલાનું નુકશાન કેઈ બીજી રીતે કાંઈ કરી શકશે નહીં. ત્યારે તેણે પહેલાંનું ઘર નવું બંધાતું હતું, તેની ભીંતમાં કઈ ન જાણે તેવી રીતે જિનમંદિરને પડેલે એક બટન કટકો નાંખ્યો. ઘર બંધાઈને તૈયાર થયું ત્યારે દરિદ્ધી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત બની હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમંત પાડોશીએ કહ્યું કે, “એટલામાં શું દોષ છે ?” એવી અવજ્ઞા કરવાથી વિદ્યપાત વગેરે થઈ શ્રીમંત પાડોશીને સર્વ પ્રકારે નાશ થયો. કહ્યું છે કે–જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન, મઠ અને રાજમંદિરને સરસવ જેટલે પણ પત્થર, ઇંટ કે કાક તજવાં, - ઘરનું માપ વિગેરે. પાષાણમય સ્તંભ, પીઠ, પાટિયાં, બારસાખ વગેરે વસ્તુઓ ગુહસ્થને વિરૂદ્ધકારક છે, પરંતુ તે ધર્મ સ્થાનકે શુભ જાણવી. પાષાણમય વસ્તુ ઉપર કાઇ અને કામય વસ્તુ પાષાણના સ્તંભ વગેરે વસ્તુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વર્જવી. હળનું કાઇ, ઘાણી, શકટ વગેરે વસ્તુ તથા રહેટ આદિ યંત્ર, એ સર્વ કાંટાવાળા વૃક્ષના વડ આદિ પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનાં વર્જવા. વળી ઉપર કહેલી વસ્તુઓ બીજોરી, કેળ, દાડમ, મીઠાં લિંબુને આપનાર લિંબળી, બે જાતની હળદર, આમલી, બાવળ, બેરડી તથા ધંતુરા એમનાં લાકડાની પણ વર્જવી. જે ઉપર કહેલા વૃક્ષોનાં મૂળે પાડોશથી ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડોની છાયા ઉપર આવે છે, તે ઘરધણીના કુળનો નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઊંચું હોય તો ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઊંચું હોય તે ધનની સમૃદ્ધિ થાય છે, પશ્ચિમ ભાગમાં ઊંચું હોય તે વૃદ્ધિ થાય છે, અને ઉત્તર દિશામાં ઊંચું હોય તે શૂન્ય થાય છે. વલયાકારવાળું, ઘણા ખૂણાવાળું, અથવા એક, બે કે ત્રણ ખૂણાવાળું, જમણ તથા ડાબી બાજુએ લાંબું એવા ઘરમાં રહેવું નહિં. જે કમાડ પોતાની મેળે બંધ થાય અથવા ઉઘડે તે સારાં નહિં. શુભ અને અશુભ ચિત્ર. ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિકની વધુ શોભા સારી કહેવાય છે. જે ચિત્રમાં યોગિનીના નૃત્યને આરંભ, ભારત રામાયણને અથવા બીજા રાજાઓને સંગ્રામ, કષિનાં અથવા દેવનાં ચરિત્ર હૈય, તે ચિત્ર ઘરને વિષે સારાં ન જાણવાં, ફળેલાં ઝાડ, ફૂલની વેલડીએ, સરસ્વતી નવનિધાનયુક્ત લક્ષમી, કળશ, વધામણાં, ચોદ સ્વપ્નની શ્રેણી વગેરે ચિત્રે શુભ જાણવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422