Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
View full book text
________________
।। श्रीसिद्धाचलशृङ्गारश्रीऋषभदेवाय नमो नमः ।।
આશીર્વચન [બીજી આવૃત્તિનું
તીર્થોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર સકલાગમરહસ્યવે પ. પૂ. આચાર્યદેવ શ્રી. વિજયહર્ષસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પ્રશાંતમૂર્તિ સ્વ. ગચ્છાધિપ પ. પૂ. આચાર્યદેવ શ્રી. વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના લઘુભ્રાતા ચારિત્રચૂડામણિ દીર્થસંયમી વર્તમ ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રી. વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મ. સા. તથા તેમના શિષ્ય ૫. * આચાર્યદેવ શ્રી. વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ. સા.ના આશીર્વચન.
પૂજ્ય ગુરુદેવોએ લોકઉપકારનો હેતુ ધ્યાનમાં રાખી તેમની નિશ્રામાં આ સંસ્કૃત-ગુજરાતી શબ્દકે મહાગ્રંથ તૈયાર કરાવ્યો, જેનો અભ્યાસી વર્ગે, પછી શ્રમણ સમુદાય હોય કે અન્ય ધર્મો સમુદાય હોય, તેમ ખૂબ લાભ લીધો છે.
આ ગ્રંથ અપ્રાપ્ય થવાથી અમારા ગુરુભ્રાતા સ્વ. આચાર્ય શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજીના શિષ્યસમુદ મુખ્યત્વે અમારા આજ્ઞાધારક પંન્યાસ શ્રી હેમપ્રભવિજયજીએ બીજી આવૃત્તિ તૈયાર કરાવવા ઉપદેશ આ કાર્ય ઉપાડ્યું અને સમુદાયનાં સાધુ-સાધ્વીઓએ ઉપદેશ આપી આ કાર્યને વેગ આપ્યો; તેના પરિપાક ; આ ગ્રંથનો પ્રથમ ભાગ ઉપલબ્ધ થયો છે.
સંપાદક પં. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે સંશોધન કરી સુધારા-વધારા કરી ગ્રંથ તૈયાર કર્યો. વ મનીષી પંન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ તથા વિદ્વદ્વર્ય મુનિ શ્રી મણિપ્રભવિજયજીએ આ ગ્રંથની પ્રસ્તાવના : બે શબ્દો લખી આપ્યા, અને આ ગ્રંથના પ્રકાશન માટે પૂજ્ય આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી જૈ પુસ્તકાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સારી એવી જહેમત લીધી છે. વળી, આ કામમાં જૈન સંસ્થાઓએ સંઘોએ એ વ્યક્તિઓએ આર્થિક સહકાર પણ આપ્યો છે.
આ સઘળાં કાર્ય માટે અમારા આશીવદ અને ધન્યવાદ.
સહી દઃ અરિહંતસિદ્ધસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org