Book Title: Shabdaratnamahodadhi Part 1
Author(s): Muktivijay, Ambalal P Shah
Publisher: Vijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
View full book text
________________
૨૬
રચના કર્યા પછી અહંદુતીર્થકરોના ચરણકમલને નમસ્કાર કરીને હવે હું નિઘંટુશેષ' નામક કોશ રચીશ.
આ નિઘંટુકોશમાં છ કાંડ આ પ્રકારે છે – ૧. વૃક્ષકાંડ, ૨. ગુલ્મકાંડ, ૩. લતાકાંડ, ૪. શાકકાંડ, પ. તૃણકાંડ, ૬. ધાકાંડ- કુલ મળીને આમાં ૩૯૬ પડ્યો છે.
આ કોશગ્રંથ આયુર્વેદશાસ્ત્રને ઉપયોગી છે. નિઘંટુકોષ'માં એકત્ર કરાતા શબ્દોને અભિધાનચિંતામણિ'માં ન ગૂંથતાં વિદ્યાથીઓની અનુકૂળતા માટે નિઘંટુશેષ'માં અલગરૂપે સંકલિત કર્યા છે.
નિઘંટુશેષ-ટીકા-ખરતરગચ્છીય શ્રીવલ્લભગણિએ ૧૭મી શતાબ્દીમાં આ કોશ પર ટીકા રચી છે. શિલોંછકોશ
આ. હેમચંદ્રસૂરિએ રચેલા “અભિધાનચિંતામણિ' કોશના બીજા પરિશિષ્ટરૂપે શ્રી જિનદેવમુનિએ ‘શિલોંછ” નામથી ૧૪૦ શ્લોકોની રચના કરી છે. કતએ રચનાનો સમય ત્રિ–વસુ-ઈન્દુ' (?) નિર્દેશ કર્યો છે પરંતુ આ સંવતમાં એક શબ્દ છૂટી ગયો છે, તેથી રચનાસંવતનો નિર્ણય કરી શકાય એમ નથી. 'જિનરત્નકોશ' પૃ. ૩૮૩માં આની રચનાનો વિ. સં. ૧૪૩૩ જણાવ્યો છે પણ તેને શો આધાર છે તે જાણી શકાયું નથી.
શિલોંછ-ટીકા–આ શિલોંજી' પર આ. જ્ઞાનવિમલસૂરિના શિષ્ય શ્રીવલ્લભે વિ. સં. ૧૬૫૪માં ટીકા રચી છે. નામકોશ
ખરતરગચ્છીય વાચક રત્નસારના શિષ્ય શ્રીસહજકીર્તિ મુનિએ છ કાંડમાં શબ્દોના લિંગનિર્દેશપૂર્વક એકાઈક “નામકોશ' અથવા “નામમાલા' કોશની રચના કરી છે. આનો શરૂઆતનો શ્લોક આ પ્રકારે છે –
‘स्मृत्वा सर्वज्ञमात्मानं सिद्धशब्दार्णवान् जिनान् ।
सलिङ्गनिर्णयं नामकोशं सिद्धं स्मृतिं नये ।।' અંતનું પદ્ય આ પ્રકારે છે –
‘कृतशब्दार्णवैः साङ्गः श्रीसहजादिकीर्तिभिः ।
सामान्यकाण्डोऽयं षष्ठः स्मृतिभार्गमनीयत ।।' શ્રી સહજકીર્તિ મુનિએ ‘શતદલકમલાલંકૃતલોકપૂરીયપાર્શ્વનાથસ્તુતિ (સંસ્કૃત)ની રચના વિ. સં. ૧૬૮૩માં કરી છે. આ કોશ પણ એ સમયની આસપાસ રચાયો હશે. આ કોશગ્રંથ હજી પ્રકાશિત થયો નથી.
આ ગ્રંથકારે બીજા ૯ ગ્રંથોની રચના કરી હોવાનું જાણવા મળે છે. શબ્દચંદ્રિકા
આ કોશગ્રંથના કતનો કોઈ ઉલ્લેખ મળતો નથી. આની ૧૭ પત્રોની હસ્તલિખિત પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં છે. આ કૃતિ કદાચ અપૂર્ણ છે. આનો પ્રારંભ આ પ્રકારે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org