Book Title: Sangit Natya Rupavali
Author(s): Vidya Sarabhai Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 140
________________ ચિત્ર ૩૧-૩૧૨ : ૨ પરાવૃત્તતલાચારી ૫ ૧-૨. પછી ઉંચા કરેલા પગના તળીયાને તે ચિત્ર ૩૧૧ ) આગળના ભાગમાં લંબાવ (ચિત્ર ૩૧૨ ), તેને સારંગદે “પરાવૃતલાચારી' કહી છે. ચિત્ર ૩૧૧ : આ ચિત્રમાંની નર્તકીને જમણા પગ ઉંચે કરી, ઢીંચણેથી વાળી, તળીયાના ભાગને જમણી બાજુના નિતંબને અડાડીને રાખે છે. જયારે ડાબે પગ સહેજ ત્રાંસે રાખી જમીનને અડાલો છે. તેણીને જમણે હાથ વાળેલા જમણા ઢીંચણને અડાડીને લટકતે રાખેલ છે. જયારે ડાબે હાથ જમણા પગના તળીયા પાસે લટકતો રાખે છે, શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે. પાયજામે કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને, લાલ રંગની ટીપકીયાવાળા પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ્ત્ર લાલ રંગની ડીઝાઈનવાળા પીળા રંગનું છે. ચિત્ર ૩૧૨ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનને અડાડીને એકબીજાની આગળ સહેજ ત્રાંસા રાખેલ છે. તેના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ કારમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગની કંચુકી પહેરેલી છે. પાયજામ કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગ, વચમાં લાલ રંગની ટીપકીયેવાળા પરિધાન કરેલો છે. કમ્મર ઉપરનું વસ્ત્ર, કાળા રંગની ડીઝાઇનવાળ ઘેરા લીલા રંગનું છે. ચિત્ર ૩૩-૩૧૪ : ૩ નપુરવિદ્ધાચારી રુ૫ ૧-૨. સ્વસ્તિક ૨ (સ્થાને રહીને (ચિત્ર ૩૧૩), બંને પગની એડી તથા પંજાને રેચિત કરવામાં આવેલા છે અને પગે જેમાં ચિત્ર ૩૧૪), તેને “તૂપુરવિદ્ધાચારી કહે છે, ચિત્ર ૩૧૩ : આ ચિત્રમાંની નર્તકીનો જમણે પગ ઢીંચણથી વાળી ડાબા પગના ઢીંચણ ઉપરથી પસાર કરીને ડાબા પગની પાછળ રાખી જમીનને અડાડેલો છે. જ્યારે ડાબે પગ ઝા રાખી તેને ઢીંચણ જમણા પગના ઢીંચણના પાછળના ભાગને અડાડી જમીનને અડાડે છે. તેણીના બંને હાથ બંને પડખે સીધા લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ લીલા પોપટીયા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામાને ઢીંચણ સુધીને ભાગ કરમજી રંગની ઝીણી જાળીવાળી ડીઝાઈનવાળા ગુલાબી રંગને, વચમાં લીલા રંગને છે. જ્યારે ઢીંચણની નીચે પાયજમાનો ભાગ કાળા રંગની ડીઝાઇનવાળા ઘેરા લીલા રંગને છે. કમ્મર ઉપરનું વસ્ત્ર લાલ રંગની ડીઝાઈનવાળા પીળા રંગનું છે. - ચિત્ર ૩૧૪ : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ સહેજ ત્રાંસે રાખી જમીનને અડાડે છે. જ્યારે ડાબે પગ ઉચે કરી, તેની એડીને ભાગ જમણા પગના પંજાની ઉપરના ભાગમાં અડાડેલ છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપટીયા રંગની ચુકી પહેરેલી છે; અને પાયજામો તથા કમ્મર ઉપરનું વસ્ત્ર કરમજી રંગની ઝીણી ચેકડીની ડીઝાઈનવાળા ગુલાબી રંગના છે. ચિત્ર ૩૧૫ થી ૩૧૭: ૪ તિર્યમુખાચારી ૫ ૧ થી ૩ વધમાન સ્થાને રહેલા પગને (ચિત્ર ૨૧૫) જયારે ડાબી (ચિત્ર ૩૧૬) અથવા જમણી બાજુ શીઘતાથી સરકારે (ચિત્ર ૩૧૭) ત્યારે તે ક્રિયાને “તિર્યમુખાચારી” કહે છે; ચિત્ર ૩ય : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ ઢીંચણેથી વાળેલા, ત્રાંસા, અને બંને પગની એડી એકબીજાની સામે રહે તેવી રીતે રાખેલા છે. તેના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ ૨. સ્વસ્તિકલ્મ (થાન) – જમણો પગ ડાબી તરફ અને ડાબે પગ જમણી તરફ લઈ જઈ બંને પગને સહેજ વાંકા અને સાથે સાથે અડાડેલા રાખવા તેને “અસ્તિકસ્થાન” કહેવામાં આવે છે. ૩. બંને પગની પાની એકબીજાને અડાલી અને જમણા પગને ૫ ડાબી બાજુ રહે તેવી રીતે રાખવો તેને વધમાન રસ્થાન' કહેવામાં આવે છે. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194