Book Title: Sangit Natya Rupavali
Author(s): Vidya Sarabhai Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 171
________________ ચિત્ર જાપ : આ ચિત્રની નર્તકીને જમણે પગ ઢીંચણેથી પાછળની બાજુ વાળીને, તિછ રાખેલા ડાબા પગના ઢીંચણ ઉપરથી પસાર કરીને, પંજાને આગળનો ભાગ જમીનને અડાડીને, એડીને ભાગ ઉચે રાખેલો છે. જે સ્વસ્તિક સ્થાનને ભાવ દર્શાવે છે. તેના બંને હાથ બંને પડખે સીધા લટકતા રાખેલા છે. ચિત્ર ૪૧૬ : આ ચિત્રની નર્તકને જમણો પગ સીધે રાખી જમીનને અડાડેલો છે. જયારે ડાબે પગ ઢીંચણેથી વાળીને, ઢીંચણની નીચેનો ભાગ જમણા પગ તરફ પાછળ વાળીને, જમીનથી ઉંચે રાખેલે છે. જે સ્વરિતક સ્થાને રહેલા પગમાંથી એક પગને કુંચિત કર્યા ભાવ સ્પષ્ટ દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે સીધા લટકતા રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. ચિત્ર ૪૧૭ : ૧૮ પ્રવૃત્તચારી ૫-૧, જેમાં પગ ઉંચા કરવામાં આવે અને કામદેવના જીવનની માફક સુંદર મનહર વળે શરીરને આકાર કરવામાં આવે તે “પ્રાવૃત્તચારી? માનવી. ચિત્ર ૪૧૭ : આ ચિત્રની નર્તકીને જમણે પગ ઢીંચણથી વાળીને, ઢીંચણની નીચેનો ભાગ જમીનથી ઉચે રાખીને પાછળ રહેલા ડાબા ઢીંચણ તરફ રાખવામાં આવે છે. જ્યારે ડાબે પગ સીધે રાખીને જમીનને અડાડેલો છે. જે સુંદર વાળેલા પગને ભાવ દર્શાવે છે. તેણીને જમણે હાથ વાળેલા જમણું ઢીંચણની નજીક લટકતો રાખેલ છે. જ્યારે ડાબો હાથ ડાબા પડખે સીધે લટકતે રાખવામાં આવેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. ચિત્ર ૪૧૮-૧૯ : ૧૯ ઉલ્લેલ (ઉલ્લાસ) ચારી ૫ -. આકાશના વિષે બંને પગને (ચિત્ર ૪૧૮) ઉલાળવા (ચિત્ર ૪૧૯) તેને “ઉલ્લેલચારી કહે છે. ચિત્ર ૪૧૮: આ ચિત્રની નર્તકીને જમણે પગ સીધે રાખીને, જમીનને અડાડેલો છે. જયારે ડાબે પગ ઢીંચણેથી પાછળ વાળીને, ઢીંચણની નીચેના ભાગ જમીનથી ઊંચે રાખીને જમણા પગ તરફ રાખવામાં આવેલ છે. જે ડાબા પગને ઉલાળવાને ભાવ દર્શાવે છે. તેણીને જમણે હાથ જમણા પડખે સીધે લટકતે રાખે છે. જયારે ડાબો હાથ વાળેલા ડાબા ઢીંચણને અડાડીને, લટકતો રાખે છે. શરીરને વાણું સુવર્ણ છે. ચિત્ર ૪૧૯: આ ચિત્રની નર્તકીને જમણે પગ સીધે રાખીને, જમીનને અડાડેલો છે. જ્યારે ડાબે પગ ધંધા સુધી ઊંચે લઈ જઈ, ઢીંચણેથી વાળીને જમણુ પગની સાથળ તરફ સીધે રાખેલ છે. જે ચિત્ર ૪૧૮માં ઉચા કરેલા પગને ઉલાળીને, ઉચે લઈ જવાને ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ બને પડખે સીધા લટકતા રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. આ ચેપન દેશીચારીએ (૩૫ ભૂમિચારી અને ૧૯ આકાશચારી) ભરતે કહેલી નથી છતાં કેહલ વગેરેએ કહેલી હેવાથી બતાવી છે. – સં. ૨૦ અ૦ ૭ પાનું ૭૭. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194