Book Title: Sangit Natya Rupavali
Author(s): Vidya Sarabhai Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 146
________________ કર ચિત્ર ૩૨૧ થી ૩ર૩: ૮ વિશ્લિષ્ટાચારી ૫ ૧ થી ૩ પાણિવિદ્ધ રિથતિમાં રહેલા બંને પગને (ચિત્ર ૩૨૧) જે જુદા પાડીને પાસે લાવવામાં આવે (ચિત્ર ૩૨૨) અથવા ખસેડી લેવામાં આવે તે (ચિત્ર ૩૨૩), તે ક્રિયાને જાણકારે “વિક્લિષ્ટાચારી કહે છે. ચિત્ર ૩ર૩ : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ ઢીચણેથી વાળીને ડાબા પગની પાછળ રાખેલો છે, અને તેની એડી જમીનથી ઊંચી રાખેલી છે. જયારે ડાબો પગ ત્રસે રાખી જમણા પગની આગળ લઈ જઈ જમીનને અડાડેલો છે. તેણીના બન્ને હાથ બંને પડખે લટક્તા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ કાળા રંગની ડીઝાઈનવાળા લીલા પાટીયા રંગની ચુકી પહેરેલી છે. પાયામાં સફેદ રંગની ટીપકીની ડીઝાઈનવાળા વાદળી રંગને પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે. - ચિત્ર કરર : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ સહેજ ત્રાંસે રાખી જમીનને અડાડે છે; જયારે ડાબા પગ ઢીંચણેથી વાળેલ, જમીનથી ઊંચે રાખેલો છે, જે પગને ખસેડી લેવાને ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે. પાયજામો કાળા રંગની ડીઝાઈનવાળા પીળા રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે. ચિત્ર કુર૩ : આ ચિત્રમાંની નકાને જમણે પગ ઢીંચણથી વાળી ડાબા પગની ઉપર લઈ જઈ, પાછળ રાખી, આંગળાં જમીનને અડાડી, એડી ઉંચી રાખી રાખેલે છે. જ્યારે ડાબે પગ ત્રાંસે રાખી જમીનને અડાડેલ છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેમાં લીલા પાટીયા ૨ગની કંચુકી પહેરેલી છે. પાયજામા કાળા રંગની ડીઝાઈનવાળા પીળા રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર લાલ રંગની ડીઝાઈનવાળા કેસરી રંગનું છે. ચિત્ર ૩ર૪-૩૨૫ : ૯ કાતરાચારી રુપ ૧-૨. બંધાવસ્થ રહેલા પગને (ચિત્ર ૩૨૪) પાછા સરકાવવાની ક્રિયાને “કાતાચારી કહે છે (ચિત્ર ૩૨૫). ચિત્ર ૩૨૪ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ ઢીંચણથી વાળેલા, અને પગની એડી એકબીજાની સામે જરા અંતરે રાખી રાખેલા છે. તેણુના બંને હાથ બને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે. પાયજામ કાળા રંગની ડીઝાઈનવાળા પીળા રંગને, વચ્ચે લાલ રંગની ટીપકીવાળા પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કરમજી રંગની ડીઝાઈનવાળા પીળા રંગનું છે. ચિત્ર ૩રપ : આ ચિત્રમાંની નર્તકીને જમણા પગ ઢીંચણેથી ત્રાંસે વાળે છે. જ્યારે ડાબા પગનો હીંચણ થોડે વાળેલો છે. બંને પગ એવી રીતે રાખેલા છે કે તે પાછળ ખસતી હોય તે ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપટીયા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામો વાદળી રંગને, વચમાં પીળા રંગની ટીપકી, તેની વરચે કાળા રંગની ઝી ટીપકી, તથા તેની વચમાં લાલ રંગની ટીપકાવાળી ડિઝાઈનનો પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે. ચિત્ર કર૬ : ૧૦ પાણિચિતાવારી ૨૫ ૧, પણિ પાશ્વગત૭ સ્થાને ઊભા રહીને, જે એડીને રેચિંતા કરવામાં આવે છે, તે ક્રિયાને જણકારે પાણિરિચિતાચારી કહે છે (ચિત્ર ૩૨૬). ૧. એક પગની પાનીને બીજા પગના અંગૂઠા વડે સ્પર્શ કરી મા રહેવામાં આવે તેને “પાર્ષિણવિદ્ધસ્થાન” કહેવામાં આવે છે. ૭. ડાબો પગ સરખે મૂકી જમણે પગ ડાબા પગ તરફ પાની રહે તેમ આડો રાખે તેને પાકિશુપાશ્વગત” સ્થાન કહેવામાં આવે છે. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194