Book Title: Sangit Natya Rupavali
Author(s): Vidya Sarabhai Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 148
________________ તેની વચમાં લાલ રંગની ટીપકીની ડીઝાઈનવાળા પરિધાન કરેલો છે. કમ્મર ઉપરનું વસ્ત્ર લાલ રંગની ડિઝાઈનવાળા પીળા રંગનું છે. ચિત્ર ૩૩ર થી ૩૩૧ : ૧૪ હરિણવાસિતાચારી ૫ ૧ થી ૪. સ્વરિતક સ્થાને સંકુચિત કરીને (ચિત્ર ૩૩૨) પગના તળીયાના પાછળના ભાગને (ચિત્ર ૩૩૩), વાળીને કુદકો મારીને (ચિત્ર ૩૩૪) નીચા પડવાની ક્રિયાને (ચિત્ર ૩૫) “હરિણત્રાસિતાચારી કહે છે. ચિત્ર ૩૩૨ : આ ચિત્રમાંની નર્તકીના ડાબા પગના પાછળના ભાગને વાળીને તેને પજે પણ અવળે રાખેલ છે, જ્યારે જમણે પગ ઢીંચણેથી વાળી, તેને પંજે જમીનથી ઉચે રાખેલ છે. તે કુદકા મારવા તૈયાર થઈ હોય તે ભાવ દર્શાવે છે. તેના જમણા હાથ જમણા નિતંબની પાછળ સીધો લટકતા રાખેલ છે. જ્યારે ડાબા હાથ જમણ ઢીંચણની આગળના ભાગે સીધે લટકતો રાખે છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે. પાયજામે ઘેરા ગુલાબી રંગને, કાળા રંગની ડીઝાઇનની વચ્ચે લાલ રંગની ટીપકીવાળા પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ્ત્ર ઘેરા લાલ રંગની ડીઝાઈનવાળા કેસરી રંગનું છે. ચિત્ર ૩૩૩ : આ ચિત્રમાંની નર્તકી કૂદકો મારવાની તૈયારી કરતી હોય તેવી રીતે દર્શાવવા અને પગ સીધા રાખી તેની આંગળીઓ જમીનને અડાડી, એડીને ભાગ ઉંચા રાખે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પાટીયા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામે પીળા રંગને, કાળા રંગની ડીઝાઈનની વચમાં લાલ રંગની ટીપકીવાળો પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે. ચિત્ર ૩૩૪ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગના ઢીંચણ વાળેલા અને પંજા જમીનથી ઊંચા એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે કે જે જોતાં જ તેણું કૂદકે મારતી હોય તેવું દેખાય છે. તેણીને જમણે હાથ જમણું નિતંબની પાછળ તથા ડાબે હાથ અને પગની બાજુમાં લટકતે રાખેલ છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ ઘેરા લીલા રંગની, કાળા રંગની ઝીણી ટીપકીની ડીઝાઈનવાળી કંચુકી પહેરેલી છે. પાયજામે સફેદ રંગની ડીઝાઈનવાળા વાદળી રંગને પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે. ચિત્ર ૩૩ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનને અડાડીને સીધા એવી રીતે રાખેલ છે કે તેરી કૂદકો માર્યા પછી નીચે પડતી હેય તે ભાવ દર્શાવે છે. તેણના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે. પાયજામે કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને માત્ર ઢીચણ સુધી જ પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ્ત્ર ચિત્ર ૩૦૪ જેવા જ રંગનું છે. ચિવ ૩૩૬-૩૩૭ : ૧૫ અધમંડલિકાચારી ૨૫ ૧-૨, પગને ભૂમિ સાથે ઘસીને (ચિત્ર ૩૬) કમથી ધીમે ધીમે બંને પગને ફેરવવાની ક્રિયાને (ચિત્ર ૩૩૭) વિદ્વાને “અધમંડલિકાચારી કહે છે. ચિત્ર ૩૩૬: આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ સહેજ ત્રાંસો રાખી જમીનને અડાડે છે. જ્યારે ડાબો પગ ઢીંચણથી વાળીને જમીનથી ઉચા રાખેલો છે, જે તેણી પગને જમીન સાથે ઘસીને ફેરવતી હોય તેવે. ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ બને પડખે લટકતા છે. શરીરને વણે સુવર્ણ છે. તેણીએ ઘેરા લીલા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામે પીળા રંગને, કાળા રંગની ડીઝાઇનની વચમાં લાલ રંગની ટીપકીયાવાળે. પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ્ત્ર ચિત્ર ૩૩૪ જેવા જ રંગનું છે. ચિત્ર ૩૭ : આ ચિત્રમાંની નતકીના બંને પગ જમીનને અડાડેલા છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ કાળા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામો કાળા "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194