Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 280
________________ જેમ સીનેમાના પડદા ઉપર જે દૃશ્યની ધમાલ ચાલે છે તેને જ જોવામાં સામાન્યથી પ્રેક્ષકવર્ગ લીન હોય છે. એ દૃશ્યો જેમાંથી ઊભા થાય છે તે પ્રોજેકટરની પટ્ટી ઉપર કોઈની નજર પ્રાયઃ જતી નથી. તેમ જ પટ્ટીમાં રહેલા દશ્યને પડદા સુધી લાવનાર પ્રકાશ તરફ, પ્રકાશના ઉદ્ગમ સ્થાન ઉપર તો પ્રાયઃ કોઈનું લક્ષ જ હોતું નથી. આ જ રીતે શરીર, ઈન્દ્રિય અને મનની દોડધામને જ રસપૂર્વક માણવામાં લોકો અટવાયેલા હોય છે. એ દોડધામ જેના કા૨ણે ઊભી થાય છે તે કર્મ, પ્રાચીન સંસ્કાર વગેરે તરફ તો પ્રાયઃ કોઈનું લક્ષ જ નથી હોતું. અને આગળ વધીને તે કર્મ, કુસંસ્કાર વગેરે જેના માધ્યમથી દેહ-ઈન્દ્રિય વગેરે ઉપર અસર બતાવે છે તે ચેતના તરફ તો ભાગ્યે જ કોઈની દૃષ્ટિ હોય છે. રાગાદિનું સંવેદન કે સંકલ્પ-વિકલ્પનો અનુભવ થાય ત્યારે જેના લીધે વેદન થાય છે તે ચેતના તરફ પ્રાયઃ બધા દુર્લક્ષ જ સેવે છે. તેમ જ તે ચેતના પણ જેમાંથી પ્રગટે છે તે ત્રિકાળશુદ્ધ આત્મતત્ત્વ ઉપર તો ભાગ્યે જ કોઈનું લક્ષ જાય છે. તેના ઉપર લક્ષ્ય જાય તો પર્યાયમાં ફેરફાર કરવાની ભૂતાવળ શમી જાય; પરિણામમાં તોડફોડ કરવાની નાદાની રવાના થાય. જેમ નાપસંદ દશ્ય પડદા ઉપર દેખાય ત્યારે પડદો ફાડી નાખવો એ ગાંડપણ છે. તેમ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપઘાત કરીને શરીરાદિને ખલાસ કરવા પ્રયાસ કરવો એ પણ મૂર્ખામી જ છે. જે પ્રાજ્ઞ છે તેને બરાબર ખ્યાલ હોય છે કે પડદા ઉપર ભયરસ, શૃંગારરસ, હાસ્યરસ, કરુણરસ કે બીભત્સરસને ઉપસાવતું કોઈ પણ દશ્ય પ્રકાશને વિકૃત નથી કરતું. પ્રકાશ તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. તેમ તમામ પ્રકારના કર્મોદયમાં, કર્મોદયજન્ય સર્વકાલીન-સર્વક્ષેત્રીય એવી બાહ્ય-આંતર પરિસ્થિતિના અનુભવમાં પણ ઉપયોગ-ચેતના-જ્ઞાનસ્વભાવ કદિ વિકૃત થવાની શકયતા નથી. ચૈતન્ય સદા પોતાના સ્વરૂપમાં જ રહે છે. આ હકીકત હાર્દિક સ્તરે સ્વીકૃતિમાં આવે ત્યારે પડદાને (દેહાદિને) ફાડવાનો કે દૃશ્યને (બાહ્ય-આંતર પરિસ્થિતિને) બદલવાનો પ્રયત્ન સ્વરસતઃ થઈ જ ના શકે. આ ભૂમિકાએ પહોંચવા માટે કર્મજન્ય દૈહિક વગેરે પ્રવૃત્તિ, વિભાવ અને વિકલ્પની દોડધામ ચાલતી હોય ત્યારે પણ દષ્ટિ-રુચિ-લક્ષ તો કેવળ ચેતના ઉપર, ઉપયોગ ઉપર જ કેન્દ્રિત જોઈએ. અને આગળ વધીને તે ચેતનાઉપયોગ જેમાંથી પ્રગટે છે તે આત્માને પકડવાનો પ્રયત્ન થવો જોઈએ. जेण विजाणति से आता, तं पडुच्च पडिसंखाए । ( आचारांग १/५/५/१७१) Jain Education International For Private & Personal Use Only ૨૫૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324