Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 15
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન કુંદકુંદાચાર્યનાં રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાંક હાલમાં ઉપલબ્ધ છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમનાં પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર નામનાં ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્રો ‘પ્રાકૃતત્રય ’ કહેવાયછે. આ ત્રણ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ ત્રણ પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. પંચાસ્તિકાયમાં છ દ્રવ્યનું અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. પ્રવચનસારને જ્ઞાન, શૈય અને ચરણાનુયોગના ત્રણ અધિકારોમાં વિભાજિત કર્યું છે. સમયસારમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દૃષ્ટિથી કથન છે. શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્યભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા કરીને આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંતકાળથી પરિભ્રમણ કરતા જીવોને જે કાંઈ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે. પરમ કૃપાળુ આચાર્ય ભગવાન આ શાસ્ત્ર શરૂ કરતાં પોતે જ કહે છે:- ‘કામભોગબંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે પણ પ૨થી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ દુર્લભ છે. તે એકત્વની-૫૨થી ભિન્ન આત્માની-વાત હું આ શાસ્ત્રમાં સમસ્ત નિજ વિભવથી (આગળ, યુક્તિ, પરંપરા અને અનુભવથી ) કહીશ.'' આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદેવ આ શાસ્ત્રમાં આત્માનું એકત્વ-પરદ્રવ્યથી અને પરભાવોથી ભિન્નતા-સમજાવે છે. તેઓશ્રી કહે છે કે ' જે આત્માને અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત દેખે છે તે સમગ્ર જિનશાસનને દેખે છે.’ વળી તેઓ કહે છે કે ‘આવું નહિ દેખનાર અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનમય છે.' આ રીતે, જ્યાં સુધી જીવને પોતાની શુદ્ધતાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી; પછી ભલે એ વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર પાળતો હોય અને સર્વ આગમો પણ ભણી ચૂકયો હોય. જેને શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દષ્ટિ છે. રાગાદિના ઉદયમાં સક્તિ જીવ કદી એકાકારરૂપ પરિણમતો નથી પરંતુ એમ અનુભવે છે કે ‘આ, પુદ્દગલકર્મરૂપ રાગના વિપાકરૂપ ઉદય છે; એ મારો ભાવ નથી, હું તો એક જ્ઞાયકભાવ છું.' અહીં પ્રશ્ન થશે કે રાગાદિભાવો થતા હોવા છતાં આત્મા શુદ્ધ કેમ હોઈ શકે? ઉત્તરમાં સ્ફટિકમણિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. જેમ સ્ફટિકમણિલાલ કપડાના સંયોગે લાલ દેખાય છે-થાય છે તોપણ સ્ફટિકમણિના સ્વભાવની દૃષ્ટિથી જોતાં સ્ફટિકમણિએ નિર્મળપણું છોડયું નથી, તેમ આત્મા રાગાદિ કર્મોદયના સંયોગે રાગી દેખાય છે-થાય છે તોપણ શુદ્ધનયની દૃષ્ટિથી તેણે શુદ્ધતા છોડી નથી. પર્યાયદષ્ટિએ અશુદ્ધતા વર્તતાં છતાં દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધતાનો અનુભવ થઈ શકે છે. તે અનુભવ ચોથે ગુણસ્થાને થાય છે. આ પરથી વાચકને સમજાશે કે સમ્યગ્દર્શન કેટલું દુષ્કર છે. સમ્યગ્દષ્ટિનું પરિણમન Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 676