Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 23
________________ * રો . .*, , = લ , S S ( S:- , 2) : *..( પ્રશ્ન :- ગણધર મહારાજ કયાં બેસીને ધર્મદેશના ફરમાવે છે? જવાબ :- રાજાએ હાજર કરેલા સિંહાસન ઉપર, એ ન હોય તો ભગવંતના પાદપીઠ ઉપર બેસીને પ્રથમ ગણધર (શ્રી ગૌતમસ્વામીજી આદિ) કે બીજા કોઈ ગણધર દેશના આપે છે. સાધુ આદિના સમુદાયને અથવા ગુણના સમૂહને ધારણ કરવાના સ્વભાવવાળા તે ગણધર કહેવાય. ગણધર મહારાજ બીજી પોરસીમાં ધર્મદેશના આપે છે. ગણધર ભગવાન અસંખ્ય ભવોને પણ કહે છે; અસંખ્ય ભવોમાં ભૂતકાળમાં જે થયું હોય, અથવા ભવિષ્યમાં થવાનું હોય એ બધું જ જણાવે છે. જે પદાર્થ દુર્બોધ્યા હોય તે પણ જો પ્રશ્નકાર પૂછે તો એનો સંપૂર્ણ જવાબ ગણધર મહારાજ આપે છે; સંપૂર્ણ અભિલાપ્ય પદાર્થોને જણાવવાની શકિત ગણધર મહારાજમાં રહેલી હોય છે. અવધિજ્ઞાની-મન:પર્યાય જ્ઞાની આદિ અતિશય જ્ઞાની સિવાયના બીજા કોઇ “આ ગણધર મહારાજ છદ્મસ્થ છે એવું જાણી શકતા નથી. ઉલ્ટાના એઓ એમ જાણે છે કે “બધા જ પ્રશ્નોના ઉત્તર આપવાના સામર્થ્યવાળા આ સર્વજ્ઞ છે“ (બૃ.ક.૧ર૧૭) ભગવાનશ્રી અરિહંતદેવોની સેવામાં જઘન્યથી એક કરોડ દેવતાઓ હોય છે. અશોકવૃક્ષની ઉપરના વાતાવરણમાં ભુવનવ્યાપી નાદ હોય છે પણ તે પ્રભુની દેશનામાં બાધક ન બને એવા તાલવાળો હોય અને અશોકવૃક્ષની નીચેના વાતાવરણમાં ચારેબાજુ એક એક યોજનવ્યાપી વાંસળીનો દિવ્યધ્વનિ ભગવાનની દેશનામાં ભળી જઈને ભવ્યોના મનનું અદ્ભુત રંજન કરે એવો હોય છે. પ્રશ્ન :- સમવસરણ વગેરે બાહ્ય આડંબર ભગવાનની વીતરાગતામાં ખામીનું દર્શન નથી કરાવતા શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32