Book Title: Ratnashekhar Ratnavati Katha Author(s): Jinharshsuri Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ T | (3) આ પ્રમાણેના પતિથિના વિચાર ઉપર રત્નશેખર રાજાનું દ્રત છે, 2 આ પ્રમાણે સાંભળી આખી સભાએ તેની કથા પૂછવાથી જગત ઉપકારી વીર પ્રભુએ નીચે પ્રમાણે તે કથા કહી. તે કથા જે પ્રાચીન ગ્રંથમાં છે તેનું દુર્લોક, હોવાથી અહીં ચંપૂ રૂપે તે કથા કહેવામાં આવે છે.'' આ જબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે સર્વ શહેર યોગ્ય ગુણેથી શાભિત રત્નપુર નામનું નગર છે, જેમાં પુરવાસીઓએ કરેલા અપાર પુણ્યરૂપી પાણી થી ભરપુર સમુદ્રના ફીણના છાંટાઓની જેવા આકાશને વિપે તારાઓ - શોભી રહ્યા છે, તે નગરમાં નવીન સૂર્ય જેવો રત્નશેખર નામે રાજા છે. રાજ્યરૂપી આકાશના મધ્ય ભાગમાં તેનો ઉદય થયેલો જોઈ શત્રુરૂપ અંધકાર તે રણગ્રામ મૂકીને દૂર નાશી ગયેલ છે. તે રાજાને બીજા દેદય જેવો અને ત્રીજા નેત્ર જે અતિસાગર નામે મંત્રી છે. તેની બુદ્ધિરૂપી નોકા જડતા રહિત હેવાથી કોઈપણ પ્રકારના વ્યાપારરૂપ સમુદ્રને તરી જતી; કોઈપણ ઠેકાણે ખલના પામતી નહિ તે આશ્ચર્ય હતું. तरति सत्वरं जाडयोझिलता व्यापार माग / चित्रं यस्यमति नौकाक्वापिनुर्गेपिनास्खलन // 1. ચંપૂ-ગધપધાત્મક વાર્તા. ' 2. અહીં લેાકમાં ચમત્કાર છે. . - 'P.P. AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 97