Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 48
________________ (43) તે પણ ત્યાંથી નિકળી યક્ષનું સ્મરણ કરી એક ક્ષણમાં રત્ન પર આવી પહોંચી, ત્યાં તેણે આકાશ સુધી પહોંચેલા ધૂમ્રના ગોટા, ઝાડ, મહેલ અને ગિરિશિખર ઉપર ચડેલા માણસો તથા ચિતાની આસપાસ પ્રદિક્ષણ કરતા પોતાના રતનશેખર રાજાને જે લેકે બોલ્યા, “એક પગિની આવે છે, માટે રાજાએ જરા ધીરા થવું ? તેવામાં મંત્રી પણ યોગિની રૂપે ત્યાં પહોંચે, લોકોએ મહાન યાગિની જાણી નમસ્કાર કર્યો, તેણે આશીર્વચન ઉચાર્યું, એટલે લોકોએ પૂછયું-સાત માસની અવધી પૂર્ણ થઈ છે તેથી અમારા રાજાને મત્રી મતિસાગર આવશે કે નહિ ?' રાજા બોલ્યા- “લેકે તો ભેળા છે, તે તે અગ્નિકુંડમાં પડે છે, તે કયાંથી પાછા આવશે ? કારણકે હે મહાભાગ ! અરાજીના રસથી રસીએ થઈ પોતાના રાજાના કાર્ચને વિસારીને તે તે અનિકુડમાં પડે છે તે પાછો કેવી રીતે આવે? પણ હે યોગિની, તમે મને કહે કે તમે રત્નાવતી નામની કઇ કન્યા જોઇ છે અથવા તેને માટે કાંઇ સાંભળ્યું 1 પ્રિય વાંચનારને યાદ હશે કે જ્યારે મતિસાગર મંત્રીએ યક્ષની કન્યાને જોઇને તેના પિતાને મળવા ઈછયું, ત્યારે તેણીએ અગ્નિકુંડમાં પડવા કહ્યું હતું; તે વખતે પિતાની સાથેના માણસને તેણે રત્નશેખર રાજાને કુશળ સમાચાર જણાવવા પાછો મોકલ્યો હતો; તેણે અગ્નિકુંડમાં મંત્રીને પતનની વાત રાજાને કહી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97