Book Title: Rajnagarna Jinalayo
Author(s): Jitendra B Shah, Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 19
________________ ૧૦ રાજનગરનાં જિનાલયો ‘હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ’ને મોટી રકમની સખાવત કરી હતી. અમદાવાદમાં આવેલા પ્રેમદરવાજા' અને “પ્રેમાભાઈ હોલ' તેમના નામ સાથે જોડાયેલા છે. હઠીસિંહ કેસરીસિંહ ખૂબ જ ઉદાર, વિચારવંત અને ગરીબોનું રક્ષણ કરનાર મહાપુરુષ થઈ ગયા. સં. ૧૯૦૧માં તેમણે દિલ્હી દરવાજા બહાર એક વિશાળ, બાવન જિનાલયના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. મંદિરનું કામ પૂરું થાય તે પહેલાં તેઓનું અવસાન થયું. પરંતુ, તેઓનું અધૂરું રહેલું સ્વપ્ન તેમનાં પત્ની હરકુંવર શેઠાણીએ સાકાર કર્યું. હરકુંવર શેઠાણીએ પતિએ ધાર્યા કરતાં પણ વધારે મોટા પાયા પર જિનાલયનો વિસ્તાર કર્યો. ગુજરાત-કાઠિયાવાડમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં મિસ્ત્રીઓ બોલાવ્યા. બે વર્ષમાં જ આવા ભવ્ય બાવન જિનાલયનું કામ સંપૂર્ણ થયું અને સં. ૧૯૦૩ના મહા વદ પાંચમે જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. તે સમયે દેશ-દેશાવરના સંઘોને તથા સાધુ-સાધ્વીઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, બહારથી એક લાખ માણસો પ્રતિષ્ઠામાં ભાગ લેવા આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં બહારથી આવેલા આમંત્રિતો અને રાજનગરનો સમગ્ર જૈન સમુદાય આ પ્રતિષ્ઠામહોત્સવમાં એકત્રિત થયો હતો. ઉલ્લાસ અને ઉમંગના એ વાતાવરણમાં સૌને ચતુર્વિધ સંઘની શક્તિની પ્રતીતિ થઈ. રાજનગરના સંઘે અને ખાસ તો હરકુંવર શેઠાણીના નેતૃત્વ અને વ્યવસ્થાશક્તિના ગુણોએ અભુત વ્યવસ્થા કૌશલ દાખવી બતાવ્યું. ખૂબ જ ધામધૂમપૂર્વક આ જિનાલયની પ્રતિષ્ઠાનો મહોત્સવે પાર પાડવામાં આવ્યો અને આમ જૈનશાસનની ગૌરવપૂર્ણ ગાથાનું એક વિશેષ પ્રકરણ ઇતિહાસમાં ઉમેરાયું ! હઠીસિંહનું આ ભવ્ય બાવન જિનાલય આજે પણ અમદાવાદનાં પ્રસિદ્ધ સુંદર સ્થાપત્યોમાંનું એક છે. ઈ. સ. ૧૮૧૭માં અંગ્રેજ રાજ્ય અમલ શરૂ થયાના ૩૦ જ વર્ષ બાદ ઈ. સ. ૧૮૪૭માં (સં૧૯૦૩માં) હઠીસિંહના આ દેરાસરે રાજનગરના જૈન પરંપરાના ઇતિહાસને એક નવો વળાંક આપ્યો. અંગ્રેજ રાજ્ય વ્યવસ્થામાં શાંતિ અને સલામતીની જે પ્રાપ્તિ થઈ હતી તેના કારણે ફરી પૂર જોશમાં જૈન મંદિરોનાં નિર્માણનું કાર્ય શરૂ થયું. મુગલ રાજ્યસત્તાના અમલના છેલ્લા પચાસ વર્ષ, મરાઠા રાજ્ય સત્તાના આશરે ૭૦ વર્ષ અને ત્યાર પછીના અંગ્રેજ રાજ્ય સત્તાના શરૂઆતનાં ૩૦ વર્ષ-આમ છેલ્લાં ૧૫૦ વર્ષથી જૈન શાસનનો પ્રભાવ વધે તેવા ઉત્સવો, મોટા સંઘો, મંદિર નિર્માણનાં કાર્યો વગેરે મંદ પડી ગયાં હતાં. અંગ્રેજ શાસન દરમ્યાન અનેક જૈન-હિંદુ કુટુંબો શાંતિ અને સલામતીને કારણે અમદાવાદમાં વસવાટ માટે આવવા માંડ્યાં. જે વિસ્તારો ઉજ્જડ અને વેરાન હતા તે વિસ્તારોમાં ફરી પાછા ઘર અને દુકાનો થવા માંડ્યાં. શહેરની પ્રજાનો પ્રાણ ફરી ધબકવા માંડ્યો. જૈન શાસન પ્રત્યેની શ્રદ્ધાનો મંગલદીવો જે ચતુર્વિધ સંઘની એકેએક વ્યક્તિમાં સતત પ્રજ્વલિત હતો જ તે હવે કોઈપણ જાતના ડર વિના શહેરના રાજમાર્ગો પર પ્રગટવા માંડ્યો. શિલ્પ અને સ્થાપત્યની પ્રવૃત્તિઓ ધમધમવા માંડી. ગુજરાતમાંથી શિલ્પ અને સ્થાપત્યે કાયમ માટે વિદાય લઈ લીધી છે તેવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 450