Book Title: Rajnagarna Jinalayo
Author(s): Jitendra B Shah, Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 18
________________ રાજનગરનાં જિનાલયો મહાવીર સ્વામી તથા શ્રી સંભવનાથ વગેરેનાં દેરાસરો બંધાવ્યાં. એ સમયે ઝવેરીવાડામાં સત્તાવીશ દેરાસર શોભતાં હતાં. સં. ૧૮૬૪માં તેમણે સંઘપતિ થઈને શત્રુંજય-ગિરનારનો મોટો સંઘ કાઢ્યો. અમદાવાદના નગરશેઠ પદની પરંપરામાં નગરશેઠ વખતચંદ પછી તેમના પુત્ર હેમાભાઈ આ પદ શોભાવે છે. પોતાના પૂર્વજોની જેમ જ તેઓ પણ જૈનધર્મ અને જૈનધર્મના તીર્થસ્થાનોના વિકાસની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલ છે. તેમણે પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય પર ‘હિમાવસીની ટૂંક’ અને ‘નંદીશ્વર દ્વીપની (ઊજમફઈની) ટૂંક' બંધાવી હતી. તેમણે ત્રીસેક જેટલા સંઘો કાઢ્યા હતા. શેઠ હેમાભાઈએ પોતાને ઘેર એક દેરાસર કર્યું હતું અને તેમાં રત્નની પ્રતિમા પધરાવી હતી. અમદાવાદના નગરશેઠ તરીકે અમદાવાદનો અને તેની સાથે એની પ્રજાનો વિકાસ થાય તે હેતુથી તેઓએ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિપૂર્વક કેટલીક સંસ્થાઓ સ્થાપી હતી, વિકસાવી હતી. ‘ગુજરાત વર્નાક્યુરલ સોસાયટી' ને તેમજ અમદાવાદમાં સ્થપાયેલી ગુજરાત કૉલેજને તેમણે સારી એવી રકમની મદદ કરી હતી. અમદાવાદની મ્યુનિસિપાલિટીની સ્થાપનામાં પણ એમણે અસરકારક ભાગ ભજવ્યો હતો. અમદાવાદની પાંજરાપોળના વહીવટમાં તેમણે ખૂબ જ સક્રિય રસ લીધો હતો. ઉપરાંત, તે સમયે ગુજરાતી અંગ્રેજી કન્યાશાળાને સ્થાપવામાં અને વિકસાવવામાં તેમનો ફાળો નોંધપાત્ર હતો. ત્યારબાદ નગરશેઠ શ્રી હેમાભાઈના પુત્ર પ્રેમાભાઈ નગરશેઠનું પદ શોભાવે છે. પ્રેમાભાઈના પ્રમુખપદ નીચે સં. ૧૯૩૬માં હિન્દુસ્તાનના શ્રી સકળ સંઘને એકત્રિત કરી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. જૈન તીર્થોનો વહીવટ તેમજ પ્રતિનિધિત્વ કરનાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આજે પણ ભારતના સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને ત્યારથી કે આજ દિન સુધી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો વહીવટ અમદાવાદમાંથી જ થાય છે. ૯ · નગરશેઠ પ્રેમાભાઈએ ગિરિરાજ શત્રુંજય ઉપર પાંચ લાખ રૂપિયાના ખર્ચે ‘શેઠ પ્રેમાભાઈની ટૂંક' બંધાવી હતી અને પાલીતાણા ગામમાં ધર્મશાળા પણ બંધાવી હતી. આ ઉપરાંત, અનેક જગ્યાએ ધર્મશાળાઓ બંધાવવા માટે તેમણે દાનની સરિતા વહેવડાવી હતી. અમદાવાદમાં ઝવેરીવાડામાં તેમણે સં. ૧૯૦૫માં મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું હતું; ઉપરાંત પાંજરાપોળો બંધાવવામાં ઘણી આર્થિક સહાય કરી હતી. વળી, કેરિયાજી અને પંચતીર્થીનો મોટો સંઘ કાઢીને ઘણા જૈનોને યાત્રા કરાવી હતી. સં. ૧૯૧૭ના દુષ્કાળ વખતે ‘દુષ્કાળ સહાય ફંડ'માં તેમણે રૂ. ૨૦,૦૦૦ની મદદ કરી હતી. સં. ૧૯૧૨માં અમદાવાદમાં ‘હઠીસિંહ એન્ડ પ્રેમાભાઈ હૉસ્પિટલ' બંધાવવામાં અને નિભાવવામાં ઘણી મોટી સખાવત કરી હતી. કાળક્રમે આ હૉસ્પિટલ ‘સિવિલ હૉસ્પિટલ' તરીકે પ્રસિદ્ધ થઈ. આજે ગુજરાતની સૌથી મોટી એવી અમદાવાદની આ સિવિલ હૉસ્પિટલના આદ્યસ્થાપકો શેઠ પ્રેમાભાઈ અને શેઠ હઠીસિંહ હતા. નગરશેઠ પ્રેમાભાઈએ પોતાના પિતાના નામે પુસ્તકાલયની સ્થાપના થાય તે હેતુથી રા-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 450