________________
૧૦
રાજનગરનાં જિનાલયો ‘હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ’ને મોટી રકમની સખાવત કરી હતી. અમદાવાદમાં આવેલા પ્રેમદરવાજા' અને “પ્રેમાભાઈ હોલ' તેમના નામ સાથે જોડાયેલા છે.
હઠીસિંહ કેસરીસિંહ ખૂબ જ ઉદાર, વિચારવંત અને ગરીબોનું રક્ષણ કરનાર મહાપુરુષ થઈ ગયા. સં. ૧૯૦૧માં તેમણે દિલ્હી દરવાજા બહાર એક વિશાળ, બાવન જિનાલયના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. મંદિરનું કામ પૂરું થાય તે પહેલાં તેઓનું અવસાન થયું. પરંતુ, તેઓનું અધૂરું રહેલું સ્વપ્ન તેમનાં પત્ની હરકુંવર શેઠાણીએ સાકાર કર્યું. હરકુંવર શેઠાણીએ પતિએ ધાર્યા કરતાં પણ વધારે મોટા પાયા પર જિનાલયનો વિસ્તાર કર્યો. ગુજરાત-કાઠિયાવાડમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં મિસ્ત્રીઓ બોલાવ્યા. બે વર્ષમાં જ આવા ભવ્ય બાવન જિનાલયનું કામ સંપૂર્ણ થયું અને સં. ૧૯૦૩ના મહા વદ પાંચમે જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. તે સમયે દેશ-દેશાવરના સંઘોને તથા સાધુ-સાધ્વીઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, બહારથી એક લાખ માણસો પ્રતિષ્ઠામાં ભાગ લેવા આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં બહારથી આવેલા આમંત્રિતો અને રાજનગરનો સમગ્ર જૈન સમુદાય આ પ્રતિષ્ઠામહોત્સવમાં એકત્રિત થયો હતો. ઉલ્લાસ અને ઉમંગના એ વાતાવરણમાં સૌને ચતુર્વિધ સંઘની શક્તિની પ્રતીતિ થઈ. રાજનગરના સંઘે અને ખાસ તો હરકુંવર શેઠાણીના નેતૃત્વ અને વ્યવસ્થાશક્તિના ગુણોએ અભુત વ્યવસ્થા કૌશલ દાખવી બતાવ્યું. ખૂબ જ ધામધૂમપૂર્વક આ જિનાલયની પ્રતિષ્ઠાનો મહોત્સવે પાર પાડવામાં આવ્યો અને આમ જૈનશાસનની ગૌરવપૂર્ણ ગાથાનું એક વિશેષ પ્રકરણ ઇતિહાસમાં ઉમેરાયું !
હઠીસિંહનું આ ભવ્ય બાવન જિનાલય આજે પણ અમદાવાદનાં પ્રસિદ્ધ સુંદર સ્થાપત્યોમાંનું એક છે.
ઈ. સ. ૧૮૧૭માં અંગ્રેજ રાજ્ય અમલ શરૂ થયાના ૩૦ જ વર્ષ બાદ ઈ. સ. ૧૮૪૭માં (સં૧૯૦૩માં) હઠીસિંહના આ દેરાસરે રાજનગરના જૈન પરંપરાના ઇતિહાસને એક નવો વળાંક આપ્યો. અંગ્રેજ રાજ્ય વ્યવસ્થામાં શાંતિ અને સલામતીની જે પ્રાપ્તિ થઈ હતી તેના કારણે ફરી પૂર જોશમાં જૈન મંદિરોનાં નિર્માણનું કાર્ય શરૂ થયું. મુગલ રાજ્યસત્તાના અમલના છેલ્લા પચાસ વર્ષ, મરાઠા રાજ્ય સત્તાના આશરે ૭૦ વર્ષ અને ત્યાર પછીના અંગ્રેજ રાજ્ય સત્તાના શરૂઆતનાં ૩૦ વર્ષ-આમ છેલ્લાં ૧૫૦ વર્ષથી જૈન શાસનનો પ્રભાવ વધે તેવા ઉત્સવો, મોટા સંઘો, મંદિર નિર્માણનાં કાર્યો વગેરે મંદ પડી ગયાં હતાં. અંગ્રેજ શાસન દરમ્યાન અનેક જૈન-હિંદુ કુટુંબો શાંતિ અને સલામતીને કારણે અમદાવાદમાં વસવાટ માટે આવવા માંડ્યાં. જે વિસ્તારો ઉજ્જડ અને વેરાન હતા તે વિસ્તારોમાં ફરી પાછા ઘર અને દુકાનો થવા માંડ્યાં. શહેરની પ્રજાનો પ્રાણ ફરી ધબકવા માંડ્યો. જૈન શાસન પ્રત્યેની શ્રદ્ધાનો મંગલદીવો જે ચતુર્વિધ સંઘની એકેએક વ્યક્તિમાં સતત પ્રજ્વલિત હતો જ તે હવે કોઈપણ જાતના ડર વિના શહેરના રાજમાર્ગો પર પ્રગટવા માંડ્યો. શિલ્પ અને સ્થાપત્યની પ્રવૃત્તિઓ ધમધમવા માંડી. ગુજરાતમાંથી શિલ્પ અને સ્થાપત્યે કાયમ માટે વિદાય લઈ લીધી છે તેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org