Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ૫૬ ] દર્શન અને ચિંતન અપરા વિદ્યા અને પરા વિદ્યાઃ શ્વેતકેતુની વાત સ્વમાની કેવળ અપરા વિદ્યામાં પૂર્ણતા ન માનવાની અને પરા વિદ્યા સુધી આગળ વધવાની તાલાવેલી આપણને પ્રાચીન યુગના વાતાવરણની યાદ આપે છે. છાંદોગ્યોપનિષદમાં શ્વેતકેતુની વાત આવે છે. એને પિતા ઉદ્દાલક આરણિ એ પણ સભાની પ્રકૃતિને યાદ આપતે બ્રાહ્મણ છે. જ્યારે શ્વેતકેતુ બાર વર્ષ લગી ગુરુકુળમાં રહી અનેક શાસ્ત્રીય વિદ્યાઓ–અપરા વિદ્યાઓ––ભણું પાછો ફર્યો ત્યારે પિતા આરુણિએ તેને એક પ્રશ્ન પૂછ્યો કે “તું બધું શીખે ખરે, પણ એ શીખ્યો છે કે જે એક જાણવાથી બધું જણાઈ જાય? આ પ્રશ્ન પરા વિદ્યા–આત્મવિદ્યા–બ્રહ્મવિદ્યાનો હતો. તે કાળે શાસ્ત્રીય વિદ્યાઓ શીખનાર અને શીખવનાર પુષ્કળ હતા, પણ બ્રહ્મવિદ્યા વિરલ હતી. તેથી જ ઉચ્ચ કોટિના વિદ્વાન અને આધ્યાત્મિકે પિતાનાં શિષ્ય કે સંતતિને અધ્યાત્મવિદ્યા મેળવવા ખાસ પ્રેરતા. છેવટે પિતા આરુણિ શ્વેતકેતુને પિતે જ પૂછેલા પ્રશ્નના ઉત્તરરૂપે બ્રહ્મવિદ્યાનું વિસ્તૃત અને તલસ્પર્શી જ્ઞાન આપે છે. મા પિતે તે પિતાના પુત્ર રક્ષિતને પરા વિદ્યા આપવા નથી બેસતી, પણ તેની અભિરુચિ અને ઝંખના પરા વિદ્યા પ્રત્યે અસાધારણ છે. એટલે જ બાર વર્ષ પછી પાછા ફરેલ વત્સલ પુત્રને એવી પરા વિદ્યા શીખવા રજા આપતાં તે દુઃખ નથી અનુભવતી. જેમાં રક્ષિતને પિતાના ગુરુ સલિપુત્ર પાસે પૂર્વ વિદ્યા મેળવવા મોકલે છે. પૂર્વ વિદ્યા એ જૈન પરં: પરાને શબ્દ તે, પણ તે ઉપનિષદોની પરા વિદ્યાને સ્થાને છે. પૂર્વ વિદ્યામાં અપરા વિદ્યાઓ સમાય છે ખરી, પણ તેનું મહત્વ આત્મવિદ્યાને લીધે છે. માતાની વૃત્તિ સતિષવા અને બ્રાહ્મણુસુલભ જ્ઞાનવૃત્તિ વિક્સાવવા રક્ષિત. બીજે કશે પણ વિચાર કર્યા સિવાય પૂરા ઉત્સાહથી જૈન ગુર તસલિપુત્ર પાસે જાય છે; પૂર્વવિદ્યા મેળવવા છેવટે વજસ્વામીનું પાસું પણ સેવે છે. તેમની પાસેથી પ્રાપ્ય સઘળું જ્ઞાન મેળવી તે માતાને ફરી મળવા આવવાનો વિચાર કરે છે, પણ તે આવે-ન આવે તેટલામાં તે માતાનું વત્સલ હૃદય ધીરજની સીમા ઓળંગે છે અને નાના પુત્ર ફશુને મોટા ભાઈ રક્ષિતને તેડી લાવવા રવાના કરે છે. કશુ પણ છેવટે તે સરસ્વતીને પુત્ર જ હતો, એટલે રક્ષિતના વિદ્યાપાશમાં એ સપડાય છે. છેવટે બન્ને ભાઈઓ જૈન સાદુરૂપમાં માતાને મળે છે. એને બન્ને પુત્રની અંતર્મુખ સાધનાથી એ પરિતિષ થાય છે કે હવે તેનું મન સ્થળ જીવનવ્યવહારમાં સંતોષાતું નથી, અને તે પણ ત્યાગને ભાગે વળે છે. પિતા સમદેવ પુરે હિત મૂળે તે વૈદિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20