Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 17
________________ ૫૬૪ 1 દર્શન અને ચિંતનવર્ણને છે તે અત્યારે કલ્પિત જેવાં લાગે, પણ તેમાં ઘણું સત્ય સમાયેલું છે. એ વસ્તુની પ્રતીતિ આવી પ્રાચીન કથાઓ કરાવે છે. વળી, મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય ઉદ્ધારની અહિંસક કાર્ય પદ્ધતિ લેક સમક્ષ રજૂ કરી, ને પિતે એના પથિક બન્યા ત્યારે શરૂઆતમાં જે ત્યાગ અને અર્પણનું ચિત્ર અસંભવિત જેવું દેખાતું તે જ ૧૯૨૧, ૧૯૩૦ અને ૧૯૪૨ માં વાસ્તવિક બનેલું આપણે સહુએ જોયું છે. સૌને તે કાળે એક જ લગની હતી કે અમે. કુટુંબસહ પણ ગાંધીજીની હાકલને ઝીલીએ. પચીસ વર્ષ પહેલાં સ્વલક્ષી વીરવૃત્તિ જુદા રૂપમાં આવિર્ભાવ પામેલી. આ ભાવ લેખકે શાલ-મહાશાલની વાર્તા દ્વારા સૂચવ્યું છે ને વાચકને પ્રાચીન કાળના વાતાવરણને સુરેખ પરિચય કરાવ્યું છે. આઠમી રાજમાતા” નામની વાર્તામાં મુખ્ય પાત્ર છે મૃગાવતી. એ સાહિત્યમાં પ્રસિદ્ધ ઉદયન-વત્સરાજની માતા અને ભગવાન મહાવીરના મામા ચેટકરાજની પુત્રી થાય. જ્યારે એના રૂપથી લેભાઈ અને બનેવી ઉજ્જયિની. રાજ ચંડપ્રદ્યોત કૌશાંબી ઉપર ચડી આવે છે ત્યારે, એ લડાઈ દરમ્યાન જ પતિ સ્વર્ગવાસી થતાં, વિધવા મૃગાવતી ઉપર રાજ્યની અને પિતાનું પાવિત્ર્ય સાચવવાની એમ બેવડી જવાબદારી આવી પડે છે. મૃગાવની કુનેહથી બને જવાબદારીઓ સરસ રીતે પાર પાડે છે અને છેવટે તે પુત્ર ઉદયનને ગાદીએ બેસાડી અંતિમ જીવન ત્યાગમાર્ગે વીતાવે છે. આ વાર્તા દ્વારા લેખકને દર્શાવવું એ છે કે સ્ત્રી માત્ર ભીર, લાચાર કે પાંગળી નથી; એનામાં એવું ખમીર રહેલું છે કે તે ધારે તે ઐતિહાસિક વીરભૂતિ લક્ષ્મીબાઈ અને ધર્મમૂર્તિ અહલ્યાબાઈની પેઠે ભારેમાં ભારે સંકટ વચ્ચે પણ રસ્તો કાઢી શકે. આ તથ્ય તે મહાત્મા ગાંધીજી પછી આવેલી આપણા દેશની સ્ત્રી જાગૃતિમાં આપણે નજરે જ નિહાળ્યું છે. રાજમાતા મૃગાવતી એ જ સત્યની પ્રતીતિ કરાવે છે. નવમી વાર્તા : “છત કે હાર' નામની આ વાર્તા શાલ-મહાશાલની કથા કરતાં સાવ નોખી પડે છે. એમાં કૌરવ–પાંડવની જાદવાસ્થળી જોવા મળે છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું તે ઐતિહાસિક છે કે નહિ એ એક પ્રશ્ન છે, પણ આ વાર્તાનાં બે મુખ્ય પાત્ર ચેટક અને કાણિક વચ્ચેનું યુદ્ધ તે નિર્વિવાદ રીતે ઐતિહાસિક છે. ચેટક એ માતામહ છે તે કેણિક–જે અજાતશત્રુ નામથી જાણીતા છે તે–તેને દોહિત્ર છે. આમ દાદા-ભાણેજ વચ્ચે મહાન યુદ્ધ જામે છે અને તે પણ માત્ર એક હાર અને હાથીને જ કારણે કણિકના બે સગા ભાઈઓ નામે હિલ, વહaહતા. તેમને ભાગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20