Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 18
________________ પુનઃ પંચાવન વર્ષે-- ભળેલ હાર અને હાથી લઈ લેવાની કેણિકની જીદ હતી. પેલા બન્ને ભાઈઓ માતામહ ચેટકને શરણે ગયા. શરણાગતની રક્ષાને ક્ષત્રિયધર્મ માની ચેટકે કેણિકને નમતું ન આપ્યું, અને છેવટે યુદ્ધમાં તે મૃત્યુને પણ ભેટયો. આમ એક જ લેહીના સગાઓ વચ્ચેના યુદ્ધની આ કથામાં માત્ર એટલું જ નથી; તે ઉપરાંત પણ કાંઈક છે, અને તે એ કે કેણિક ઔરંગઝેબની પેઠે પિતાના પિતા બિંબિસારને કેદ કરે છે અને છેવટે તેને જ નિમિત્તે તેનું મૃત્યુ પણ થાય છે. જે કાળે ચોમેર ત્યાગ અને અર્પણનું દેવી મેજું આવેલું તે જ કાળે નજીવી ગણાતી ચીજ માટે ખૂનખાર લડાઈ લડાવાનું આસુરી મેજું પણ વિદ્યમાન હતું. મનુષ્યવભાવ ઘણાં પાસાંથી ઘડાયો છે. એમાંના આસુરી પાસાનું જે દર્શન વ્યાસે મહાભારતમાં કૌરવ-પાંડવના યુદ્ધ દ્વારા કરાયું છે તે જ પાસાનું દર્શન આ વાર્તામાં પણ થાય છે. જેમ કલિંગના મહાહત્યાકારી વિજય બાદ અશોકને ભાન પ્રગટયું કે એ વિજય ખરે વિયે નથી, એ તે ઊલટો પરાજય છે, તેમ જે હાથી મેળવવા કેણિક મહાન યુદ્ધ શરૂ કરેલું તે યુદ્ધ જીતવા તેને પિતાને જ તે હાથી મારવાનો અકલ્પિત પ્રસંગ આવ્યો ! જોકે કેણિક યુદ્ધ ખરે, પણ એને એ વસવસો જ રહ્યો કે તે પોતે આટલા સંહારને અંતે ખરી રીતે છો કે હાર્યો? વ્યાસે મહાભારતના યુદ્ધને વર્ણવી છેવટે તે એ જ દર્શાવ્યું છે કે જીતનાર પાંડે પણ અંતે હાર્યા જ છે; યુદ્ધના દેખીતા વિજયમાં પણ મોટી હાર જ સમાયેલી હોય છે. કોઈને એ હાર તત્કાળ સૂઝે તે કોઈને કાળ જતાં! અને આ વસ્તુ આપણે આજકાલ લડાયેલી છેલ્લી બે મહાન લડાઈ માં પણ જોઈ છે. અશક યુદ્ધવિજયને વિજય ન ગણું ધર્મવિજયને જ વિજય તરીકે પોતાના શાશ્વત શાસનમાં દર્શાવે છે, તે યુદ્ધની તૈકાલિક નિરર્થકતાને દર્શાવતું એક સત્ય છે. માનવજાત આ સમજણ નહિ પામે ત્યાં લગી સત્તા અને શક્તિ દ્વારા સંહાર થતો અટકવાનો નથી. છેલ્લી વાર્તા ભૂયરાજની છે. તેમાં પણ લાગણીની ઉત્કટતા પૂરેપૂરી દેખાય છે. જ્યારે તે કામાંધ બને છે ત્યારે વિવેક સર્વથા છોડી દે છે, અને - જ્યારે તેને વેગ વિવેકભી વળે છે ત્યારે તે ક્ષણમાત્રમાં કામાંધતાથી મુક્ત -ચઈ કર્તવ્યમાં સ્થિર થાય છે; તામસિક વૃત્તિનું ઉગ્ર મેજું સાત્વિકવૃત્તિમાં બદલાઈ જાય છે. ભૂયરાજના હાથ કપાયા ને પાછા મહાકાળની ઉપાસના બાદ સાજા થયા એ વસ્તુ ચમત્કારી દેખાય છે, પણ એ ચમકારની પાછળ ખરી - હકીકત કંઈક એવી હેવી જોઈએ કે જ્યારે ભૂયરાજ કર્તવ્યભ્રષ્ટ થશે ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20