Book Title: Pun Panchavana Varshe
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 19
________________ પ૬] દર્શન અને ચિંતન તેને રાજ્ય છોડવાની ફરજ પડી, એટલે કે એના હાથ હેઠા પડ્યા અગર તેણે આપમેળે રાજ્યને ત્યાગ કર્યો. પણ જ્યારે એણે ઈષ્ટદેવ મહાકાળની ઉપાસના દ્વારા સાચી ધાર્મિક વૃત્તિ અને ન્યાય વૃત્તિ કેળવી પિતાની સુવાસ ફેલાવી ત્યારે તેને પ્રજાએ પુનઃ ગાદી ઉપર સ્થાપવા ઈછયું. પણ ભૂયરાજ તે એકને બે ન થતાં તેણે પ્રાપ્ત રાજ્ય મહાકાળને જ અપ્યું. આ વાત એમ સૂચવે છે કે દુરાચારી રાજા પ્રજાના હૃદયમાં સ્થાન નથી પામત; અને જ્યારે દુરાચારી પણ સદાચારી બને છે ત્યારે એક વખત વીફરેલી પ્રજા ફરી તેને સત્કારતા ખમચાતી પણ નથી. સાથે સાથે એ પણ સૂચવાય છે કે ઉજ્જયિનીના પ્રખ્યાત મહાકાળનો મહિમા લેકના હૃદયમાં કેટલો હતે ! અને ગુજરાતમાં સ્ત્રમહાલયની આસપાસ કે સોમનાથની આસપાસ જેમ રાજભક્તિ ઊભરાતી તેમ માળવામના મહાકાળ પ્રત્યે પણ રાજભકિત ઊભરાતી. ગુણગ્રાહી દષ્ટિબિંદુની જરૂર અહીં એક બાબત નેધવી યોગ્ય લેખાશે. તે એ કે પ્રાચીન કાળ અને મધ્યકાળના કથાલેખક માત્ર પિતપોતાની પરંપરા સાથે સંબંધ ધરાવતા હોય એવાં જ પાત્રોની કથા ને આલેખતા. ઘણીવાર તેઓ ગુણગ્રાહક દૃષ્ટિએ શીલ અને સદાચારનું મૂલ્ય આંકતા, અને તેવાં શીલ કે સદાચાર જ્યાં પણ તેમને દેખાય તે ભણું પૂર્ણ આદરથી અને ઉદાર વૃત્તિથી જેતા. મેરૂતુંગે પ્રબંધચિંતામણિમાં ભૂયરાજનો પ્રબંધ લખ્યું છે તે કોઈ એવા જ ઉદાર ગુણગ્રાહી દષ્ટિબિંદુથી. આ વસ્તુ સાંપ્રદાયિક દૃષ્ટિથી લખતા લેખકેએ અપનાવવા જેવી છે. ઉપસંહાર તાકિ જયંત અને આચાર્ય હેમચંદ્ર કહે છે : તા પુત્ર વિશા નવનવીમતિ, અર્થાત પ્રથમની કેટલીક વિદ્યાઓ ફરી ફરી નવાં રૂ૫ અને નવા પિષક ધારણ કરે છે. નવીન અવતારને ઉદ્દેશ લેકરુચિને સંસ્કારવાને અને વધારે ને વધારે પિષવાને હોય છે. વળી એને એ પણ એક ઉદ્દેશ છે કે જે વસ્તુ પ્રથમ માત્ર સંપ્રદાયના વર્તુળમાં જ જાણીતી હોય તેને ચગ્ય રૂપમાં સર્વગમ્ય કરવી અને તેમાં સમાયેલાં માનવીય તને સર્વોપયોગી દૃષ્ટિથી રજૂ કરવાં. હું સમજો છું કે લેખકને પ્રાચીન વાર્તાઓને નવું રૂપ આપવાને પ્રસ્તુત પ્રયત્ન એ દૃષ્ટિથી સફળ થયો છે. આમ તો લેખક મારા કેટલાંક વર્ષો થયાં પરિચિત છે, છતાં અત્યાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20