________________
પુન પચાવન વર્ષે–
[ ૫૨ સંસ્કાર ધરાવતે બ્રાહ્મણ છે, પણ તેને કઈ વારસાગત સંપ્રદાયબંધન નથી, એટલે તે પણ પત્નીને સાથ આપે છે ને દંપતી જીવનશુદ્ધિ સાધવા પુત્રની સાથે ચાલી નીકળે છે. ધ્યાન ખેંચતી બાબતે
આ કથા મૂળ તે અતિહાસિક છે અને તે વિક્રમના બીજા સૈકાની ધટના છે. આ વાર્તામાં ખાસ ધ્યાન ખેંચે એવી બેચાર બાબતે છે : પહેલી તે એ કે બ્રાહ્મણ પ્રકૃતિમાં શાસ્ત્રીય વિદ્યાઓને મેળવવાનું સહજ બીજ રહેલું છે. બીજી બાબત એ છે કે મા એ કઈ સાધારણ માતા જેવી માતા નથી, તેનું દર્શન પારદર્શી હોઈ તે પર વિદ્યા ન મેળવાય ત્યાં લગી અપરા–શાસ્ત્રીય વિદ્યાઓને અપૂરતી કે અસાધક લેખે છે. ત્રીજી બાબત એ છે કે પુત્ર પણ એવો જ વિદ્યાકામ અને માતૃભકત છે કે માતાની ઇરછાને માન આપવા અને લભ્ય ગમે તે વિદ્યા મેળવવા માટે બધું જ કરી છૂટે છે; એટલે સુધી કે, તે છેવટે ગાéધ્ધધર્મ ન સ્વીકારતા માતાનું મન સતિષવા અને પિતાની આધ્યાત્મિક અભિલાષા તૃપ્ત કરવા આજીવન ત્યાગમાર્ગે વળે છે. જેથી બાબત તે કાળના સંસ્કાર જીવન અને રાજકીય જીવનને લગતી છે. તે કાળે માળવાની ઉજજથિની અને મંદસેર એ જૈન પરંપરાનાં અને સામાન્ય રીતે વિદ્યામાત્રનાં કેન્દ્રો હતાં. ઉજયિની સાથે તે પાટલિપુત્રને સજકીય સંબંધ અશોકના સમયથી જ બહુ વધી ગયેલો. તે ઉત્તરોત્તર વધે. જ જતો હતો, અને વિક્રમ સંવતના પ્રારંભ સુધીમાં તે પાટલિપુત્રની મહત્તાનું સ્થાન ઉજજયિનીએ લીધું હતું. અશેકને પૌત્ર સંપ્રતિ ઉજજયિનીને સૂબે હતા ત્યારથી જૈન ધર્મને સંબંધ વધારે ને વધારે ઉજજયિનીની આસપાસ વિકસ્યું હતું. મા બ્રાહ્મણ કુટુંબની હતી અને છતાં તેનામાં જૈન પરંપરા પ્રત્યે ઉડી મમતા હતી. એ સૂચવે છે કે તે કાળે માળવામાં જેન પરંપરા વધારે પ્રભાવ ધરાવતી હોવી જોઈએ. પતિ વૈદિક પરંપરાના સંસ્કાર ધરાવે અને પત્ની જૈન પરંપરાના, છતાં દાંપત્યજીવનમાં કોઈ અથડામણ ન આવે એ પણ તે કાળના સંસ્કારી જીવનનું એક સૂચક લક્ષણ ગણાય.
આ બધી ધ્યાન ખેંચે એવી બાબતે માની સ્વલલી વીરવૃત્તિની આસપાસ ગૂંથાયેલી છે. લેખકે સમાની એ વીરવૃત્તિના ચિત્રને એ ઉઠાવી આપે છે કે તે વાંચતાં જ ઉપરની બધી બાબતો એક પછી એક મન ઉપર તરવરવા લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org