________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૪ ]
[ ૧૯
हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः।। ३४ ।।
કોલાહલ કરવાથી [] શો લાભ છે? [વિરમ] એ કોલાહલથી તું વિરક્ત થા અને [ +] એક ચૈતન્યમાત્ર વસ્તુને [સ્વયમ્ uિ] પોતે [ નિમૃત: સન] નિશ્ચળ લીન થઈ [ પશ્ય માસ ] દેખ; એવો છ મહિના અભ્યાસ કરે અને જો (–તપાસ) કે એમ કરવાથી [હૃદય-સરસિ] પોતાના હૃદયસરોવરમાં [પુનાત્ મિનધાન:] જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા [ પુસ:] આત્માની [નનુ વિમ્ અનુપધ્ધિ: માતિ] પ્રાપ્તિ નથી થતી [ વિ વ ૩૫ધ્ધિ : ] કે થાય છે.
ભાવાર્થ- જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો પરવતુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે, જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્તમાત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિપ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪.
આગળની ગાથામાં અનેક પ્રકારની મિથ્યા માન્યતા બતાવી. તેનો હવે ઉત્તર આપે છે:
* સમયસાર ગાથા ૪૪: ટીકા ઉપરનું પ્રવચન *
આ અધ્યવસાન આદિ ભાવોની હયાતી કહેતાં અસ્તિત્વ તો છે. અશુદ્ધતા છે જ નહિ એમ કોઈ કહે તો તે વાત ખોટી છે. જો અશદ્ધતા હોય જ નહિ તો પછી દુ:ખથી મુક્ત થવાનો ઉપદેશ પણ કેમ હોય? દુઃખ ન હોય તો દુઃખથી મુક્ત થવાની વાત રહેતી નથી. પરંતુ દુઃખથી આત્યંતિક મુક્ત થવાનો જે જિનોપદેશ છે એનો અર્થ જ એ થયો કે એક (શુદ્ધ) આત્મા સિવાય (સંસારીને) પર્યાયમાં દુઃખ પણ છે.
વળી કોઈ જો એમ કહે કે આત્મામાં ગુણ નથી તો એ વાત પણ ખોટી છે. હા, પ્રકૃતિના જે રજોગુણ, તમોગુણ ઇત્યાદિ છે તે આત્મામાં નથી એ બરાબર છે. પરંતુ વસ્તુના ગુણો એટલે શક્તિઓ તો વસ્તુમાં છે જ. તો શ્રી પ્રવચનસારમાં અલિંગગ્રહણના ૧૮માં બોલમાં એમ આવે છે ને કે-“આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે? ભાઈ ! ત્યાં બીજું કહેવું છે. ત્યાં એમ કહેવું છે કે સામાન્ય જે વસ્તુ ધ્રુવ-ધ્રુવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com