________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯ ]
[ ૮૧
આનંદનો નાથ અંદરથી જાગ્યો તે આનંદનો અનુભવ કરે છે. જેમાં પ્રતિસમય આનંદ પ્રગટે છે તે આનંદનો ભોગવનાર આત્મા અત્યંત તૃપ્ત થઈ ગયો છે.
દષ્ટિમાં સ્વભાવની અપેક્ષાએ રાગનો ભોગવનાર જ્ઞાની નથી. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો ધર્મી સાધક આનંદનો ભોક્તા છે અને રાગનો પણ ભોક્તા છે. રાગ ભોગવવા યોગ્ય છે એમ એને બુદ્ધિ નથી, પણ વેદનમાં છે એ અપેક્ષાએ ભોક્તા કહ્યો છે.
ભાઈ ! આ અવસરમાં પણ તું આ તત્ત્વને નહિ સમજે તો ક્યારે સમજીશ?
જેમ બ્રાહ્મણ લચપચ લાડુ ખાઈને (તૃપ્ત થયો હોય તેમ) મલપતો ચાલે તેમ ધર્મી આનંદમાં મલપતો ચાલે છે. ધર્મ અત્યંત સ્વરૂપસૌખ્ય વડે તૃત તૃત હોવાને લીધે એવો ઠરી ગયો છે કે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુવમી હોય તેમ સર્વકાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી. પૂર્ણ દશા થવાથી સર્વકાળે કિંચિત્માત્ર પણ ચલિત થતો નથી. આવી દશાને પૂર્ણ દશા અર્થાત અનુભવનું ફળ કહે છે. એ રીતે સદાય જરાપણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી ચેતનાગુણ સ્વભાવભૂત છે.
ધર્મી જીવ અંદરમાં એવો તૃપ્ત-તૃત ઠરી ગયો છે કે હવે પછીનો કાળ આત્મ-તત્ત્વના આનંદના ભોગવટામાં જ રહેશે. અહો ! સમયસારમાં તો ચૌદ બ્રહ્માંડના ભાવો ભર્યા છે. એવા કાળે અને એવી શૈલીએ એ લખાઈ ગયું છે કે એમાં કાંઈ અધૂરાશ રહી નથી.
–આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. પરમાર્થ એટલે પરા કહેતાં ઉત્તમ અને મા એટલે લક્ષ્મી અર્થ એટલે પદાર્થ-ઉત્તમ લક્ષ્મીવાળો પદાર્થ. ચૈતન્યની ઉત્તમ લક્ષ્મીવાળો જીવ પદાર્થ છે-એ પરમાર્થ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિરૂપ બિરાજમાન છે. જાણે ઘડતર કરીને અંદરથી કાઢયું હોય એવો એકરૂપ શાશ્વત તથા ભિન્ન ચૈતન્યજ્યોતિરૂપ ભગવાન બિરાજમાન છે તેને આત્મા કહેવામાં આવે છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે -
* કળશ ૩૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
“વિ7રિવર્તમ સર્વોત્તમ ઉપ સહાય વિદાય'-કહે છે? ચિન્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને -જુઓ, આત્મા જ્ઞાનસામર્થ્યરૂપ છે. અને આ શુભાશુભ ભાવો ચિ7ક્તિથી રિક્ત કહેતાં ખાલી છે, ભિન્ન છે. ચાહે તો તીર્થંકર નામકર્મ બાંધનારો ભાવ હો. પંચમહાવ્રતનો વિકલ્પ હો કે ગુણગુણીના ભેદનો વિકલ્પ હો-એ બધા ચૈતન્યશક્તિથી ખાલી અનેરા ભાવો છે. એ સર્વ ભાવોને મૂળમાંથી તું છોડ એમ કહે છે.
ટતરમ વં રિજીિમાત્રમ અવધિ' અને પ્રગટપણે પોતાના ચિન્શક્તિમાત્ર ભાવનું અવગાહન કરીને પોતે પ્રગટ જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે. એમાં ડૂબકી માર,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com