Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 143
________________ ૧૩૬ જવાબ ૧૦૩- કરેમિ ભંતે” દરેક પ્રતિક્રમણની અ ંદર ત્રણે ગમની શરૂઆતમાં આવે છે. પ્રથમ ગમ-અતિચારની ગાથાઓના કાઉસગ્ગ માટે, બીજો-પ્રતિક્રમણ માટે, વદિત્તુ સૂત્રમાં ખેલવામાં આવે છે તે અને ત્રીજો ગમ પ્રતિક્રમણ થયાં પછી. એટલે વંદિત્તુ મેલ્યા પછી વિશેષ શુદ્ધિ માટે કાર્યાત્સગ કરવા માટે છે. કોઈ પણ ઠેકાણે ત્રણ વખત ખેલવાથી વસ્તુ વધુ દૃઢ થાય છે. પ્રથમ, અતિચારની આલોચના કરવાથી દોષ યાદ આવે છે, તે યાદ આવેલા ઢાષાનું પ્રતિક્રમણ સારી રીતે થાય છે. પછી દોષની રજ પણ રહેવા ન પામે, વિશેષ શુદ્ધિ થાય તે માટે કાાત્સગ અર્થે કરેમિ ભંતે’ ખેલાય છે. પ્રશ્ન ૧૧ :- કરેમિ ભંતે’ સૂત્રમાં આવશ્યક કેવી રીતે સમાયેલાં છે ? " જવાબ ૧૧ :-આ સૂત્રમાં છ આવશ્યકની રચના ગૂથાયેલી છે. (૧) ભંતે શબ્દથી ચતુર્વિશતિ સ્તવનું પ્રથમ આવશ્યક-સૂચક છે. (ર) ગુરુવંદન ખીજુ` આવશ્યક સૂચવે છે ‘સામાઈઅ', પચ્ચકખાસિ, પડિઝમામિ, અપ્પાણ વાસિરામિ એ ચારે પદો (૩) સામાયિક, (૪) પચ્ચકખાણુ, (૫) પ્રતિક્રમણ અને (૬) કાઉસગ્ગ એમ છએ આવશ્યકની સૂચના સ્પષ્ટ રીતે કરે જ છે. આત્માની શુદ્ધિ માટે જે ખરેખર આવશ્યક છે, તેને આવશ્યક કહે છે. અર્થાત્ એ છ આવશ્યક અવશ્ય કરવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154