Book Title: Prachin Lekhankala ane tena Sadhano
Author(s): Punyavijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ લગાડી શાહીને ઘૂંટવી. તેમાં ભાંગારાનો રસ પણ મળે તો નાખવો. એટલે (તાડપત્ર ઉપર લખવાલાયક)મષી—શાહી તૈયાર થશે.”૭ ધ્યાનમાં રાખવું કે આમાં લાક્ષારસ પડે છે માટે કાજળને ગૌમૂત્રમાં ભીંજાવવું નહિ. નહિ તો લાક્ષારસ ફાટતાં શાહી નકામી થઈ જાય. - બ્રહ્મદેશ, મદ્રાસ આદિ જે જે દેશમાં તાડપત્રને કોતરીને લખવાનો રિવાજ છે, ત્યાં શાહીના સ્થાનમાં નાળિયેરની ઉપરની કાચલી કે બદામનાં ઉપરનાં છોતરાંને બાળી તેની મેષને તેલમાં મેળવીને વાપરવામાં આવે છે. એટલે કે તેઓ કોતરીને લખેલા તાડપત્રના ઉપર તે મેષને ચોપડી તેને કપડાથી સાફ કરી નાખે છે; ત્યારે કોતરેલો ભાગ કાળો થઈ આખું પાનું જેવું હોય તેવું થઈ જાય છે. કાગળ પર લખવાની શાહી– ૧. “જિનતા કાજળ બોળ, તેથી દૂણા ગુંદ ઝકોળ; જો રસભાંગરાનો ભળે, અક્ષરે અક્ષરે દીવા બળે. ૧. ૨. “ગર્ભે ક્ષિા સલુન્દ્ર, મુન્દ્રાર્ધ વોત્તમેવ વ સાક્ષા–વીય–રસેનોવૈર્વયે તાપ્રધાનને III ૩. “બીઆ બોલ અનઈ લકખારસ, કન્જલ વજ્જલ (?) નઈ અંબારસ. ભોજરાજ મિસિ નીપાઈ, પાનલ ફાટઈ મિસિ નવિ જાઈ. ૧” ૧૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34