Book Title: Prachin Lekhankala ane tena Sadhano
Author(s): Punyavijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ એકમ, દશક, સો અંકોમાં ૧, ૨, ૩ એમ પૃથક પૃથક આપવાનું કારણ એટલું જ છે કે—એક, બે, ત્રણ આદિ એકમ સંખ્યા લખવી હોય તો એકમ અંકોમાં આપેલા એક, બે, ત્રણ આદિ લખવા. દસ, વીસ, ત્રીસ આદિ દશક સંખ્યામાં એક, બે, ત્રણ એમ નવ સુધી લખવા હોય તો દશક અંકોમાં બતાવેલા એક, બે, ત્રણ લખવા અને સો, બસો, ત્રણસો આદિ સો (શતક) સંખ્યામાં એક, બે, ત્રણ, આદિ લખવા હોય તો શતક અંકોમાં લખેલા એક, બે, ત્રણ આદિ લખવા. એકમ, દશકમાં શૂન્ય આવે તો ત્યાં શૂન્ય જ લખાય છે. દશક સંખ્યા પછી આવતી એકમ સંખ્યા અને સો-શતક સંખ્યા પછી આવતી દશક તથા એકમ સંખ્યામાં એક, બે, ત્રણ લખવા હોય તો એકમ દશક અંકોમાંથી લખવા, જેમ કે— અત્યારે જે તાડપત્રીય પુસ્તક–ભંડારો વિદ્યમાન છે તેમાં, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, છસો પાનાંની અંદરનાં જ પુસ્તકો છે, તેથી વધારે પાનાંનું પુસ્તક એક પણ નથી. ઘણાંખરાં પુસ્તકો ત્રણસો પાનાં સુધીનાં અને કેટલાંક તેથી વધારેનાં મળી શકે છે. કિંતુ પાંચસોથી વધારે પાનાંનું પુસ્તક માત્ર પાટણના સંઘવીના પાડાના તાડપત્રીય પુસ્તક—સંગ્રહમાં એક જ જોયું છે; તે પણ ત્રુટિત તેમ જ અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે. છસોથી વધારે પાનાંના તાડપત્ર પુસ્તકને સુરક્ષિત રાખવું ઘણું મુસીબતભર્યું થાય એ સ્વાભાવિક છે, એટલે તેથી વધારે પાનાનું તાડપત્રીય પુસ્તક નહિ લખાતું હોય એમ અનુમાન કરી શકાય છે. તથાપિ ૨૫ Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34