Book Title: Prachin Lekhankala ane tena Sadhano
Author(s): Punyavijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ ન પડે તે માટે આપણા ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત પુરાતત્ત્વ મંદિરના નિપુણ સંચાલકો યોગ્ય વ્યક્તિઓને આ દિશામાં પણ પ્રેરે એમ ઇચ્છી હું મારા લેખને સમાપ્ત કરું છું.” (‘પુરાતત્ત્વ સૈમાસિક, અષાઢ, સં. ૧૯૭૯) ટિપ્પણો : ૧. પુરાતન હસ્તલિખિત પુસ્તકોના અંતમાં મળતા . ૧૨૩૮ વૈશg शुदि १४ गरौ लिखितं श्रीमदणहिलपाटके वालभ्यान्वये कायस्य भाईलेन" ઈત્યાદિ અનેક ઉલ્લેખો પરથી આપણે જોઈ શકીશું કે ભારતવર્ષમાં કાયસ્થ, બ્રાહ્મણ આદિ જ્ઞાતિના અનેક કુટુંબો આ ધંધા દ્વારા પોતાનો નિર્વાહ ચલાવી શકતાં હતાં. આ જ કારણને લીધે આપણી લેખનકળા પ્રૌઢાવસ્થાએ પહોંચી શકી. આ માત્ર ગુજરાતને જ લક્ષીને લખવામાં આવ્યું છે. ૩. આ તાડપત્રો સાફ કર્યા પછી પણ ૨ ૩/૪ ફૂટથી વધારે લાંબાં અને ૩ ૧/૨ ઇંચ જેટલાં પહોળાં રહે છે. આ પ્રકારનાં તાડપત્ર પર લખાયેલ કેટલાંક પુસ્તકો પાટણના સંઘવીના પાડાના ભંડારમાં વિદ્યમાન છે. બારમી શતાબ્દીના પ્રારંભમાં લખાયેલ તાડપત્રો હજુ સુધી એટલાં બધાં સુકુમાર છે, કે તેને વચમાંથી આપણે ઉપાડીએ તો તેની બંને તરફનો ભાગ સ્વયમેવ નમી જાય. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, કે જેઓ જૈન સૂત્રની વાલભી વાચનાના સૂત્રધાર હતા, તેઓશ્રીએ વલભી–વળા–માં પુસ્તકો લખવાનો પ્રારંભ તાડપત્રો ઉપર જ કર્યો હતો એમ સંભળાય છે. આ પ્રારંભ વીર સંવત ૯૮૦ કરાયો હતો. ૬. કાજળમાં ગૌમૂત્ર નાખી તેને આખી રાત ભીંજાવી રાખવું એ પણ કાજળની ચીકાશ ને નાબૂદ કરવાનો એક પ્રકાર છે. ગૌમૂત્ર તેટલું જ ૩૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34