Book Title: Prachin Lekhankala ane tena Sadhano
Author(s): Punyavijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ જાડા કપડામાં—જેમાંથી ઘણી જ મહેનતે છણી શકાય તેવા કપડામાંચાળવી. ત્યાર પછી ફરીથી ખરલમાં નાખી ખૂબ લસોટવી. પછી તેમાં ગુંદરનું પાણી નાખતાં જવું અને ઘૂંટતાં જવું. ગુંદરનો ભાગ વધારે પડતો ન થાય માટે વચમાં વચમાં હિંગળોકની પેઠે ખાતરી કરતાં રહેવું. સફેદો—રંગવાને માટે જે સૂકો સફેદો આવે છે, તેમાં ગુંદરનું પાણી નાખી ખૂબ ઘૂંટવાથી તૈયાર થતાં તેનો પુસ્તક સંશોધન માટે ઉપયોગ કરાય છે. અષ્ટગંધ—મંત્રાક્ષરો લખવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં—૧. અગર, ૨. તગર, ૩. ગોરોચન, ૪. કસ્તૂરી, ૫. રક્તચંદન, ૬. ચંદન, ૭. સિંદૂર અને ૮. કેસરી—આ આઠ દ્રવ્યોનું મિશ્રણ થવાથી તેનું નામ અષ્ટગંધ કહેવાય છે. યક્ષકર્દમઆનો ઉપયોગ પણ મંત્રો લખવા માટે કરાય છે. ૧. ચંદન, ૨. કેસર, ૩. અગ૨, ૪. બરાસ, ૫. કસ્તૂરી, ૬. મરચકંકોલ, ૭. ગોરોચન, ૮. હિંગળોક, ૯. રતંજણી, ૧૦. સોનાના વરક, અને ૧૧. અંબર–આ અગિયાર દ્રવ્યના મિશ્રણથી બને છે. ઉપર બતાવ્યા પ્રમાણેના વિધિથી તૈયાર થયેલી શાહી હિંગળોક, હરિતાલ, સફેદા આદિને એક થાળીમાં તેલ ચોપડી તેમાં તેની વડીઓ પાડી દેવી. સુકાયા પછી જ્યારે જરૂર પડે ત્યારે તેમાં માત્ર પાણી નાખવાથી જ તે કામમાં આવી શકશે. ૨૦ Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34