Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 35
________________ તેઓ જ્યાં જતા ત્યાં એવી પ્રતિભા ઉપસતી કે સૌ તેમનું વચન આદરપૂર્વક માનતા અને તેમ કરવામાં સૌને આંતરિક આનંદ મળતો. ધર્મશીલાજી કહેતાં કે ધર્મ જ આત્મોન્નતિ માટે શ્રેષ્ઠ આધારિશલા છે. માનવભવ આજે મળ્યો છે તેનો સદુપયોગ કરવો જોઈએ. સને ૨૦૦૯ ની સાલમાં મુંબઈ – દાદરના જ્ઞાનમંદિરમાં મારે ચાતુર્માસ આવવાનું થયું ત્યારે ચાતુર્માસ પ્રવેશના દિવસે તેઓ પોતાની તમામ શિષ્યાઓ સાથે ઉપસ્થિતિ રહ્યાં અને પ્રવચન કર્યું. વર્ષો પછી મને જોઈને એટલાં હર્ષઘેલાં થઈ ગયાં કે જાણે એક મા પોતાના વર્ષોથી વિખૂટા પડેલા દીકરાને નિહાળીને આનંદ પામતી મને તો ગમી ગઈ છે આ આપડી ગુજરાતી ભાષા. સુખદુખની વાતો કરતા હોઈએ, સ્કૂલમાં એડમીસનનો સવાલ, મંગલ મહૂડીથી ગોધરે જતી એશટીના ટેમ, વિટામિન અને પ્રજીવો, આપણા જોણાણંદો દાશની બોનોલોતાર કાલ્ફેર સૌન્દર્ય, મંત્રીશ્રી અને અરજી, કાળુભાની ગગીએ માળાકાત કર્યાં એની વાટ્યું, ને આઈ ‘લવ યૂ સુરેખા સાચે જ – સુધી અને એ હજી તો અપરંપાર રાયમાં એનું સંગીત સાંભળ્યું છે મેં. એક વાર પૂર્વાલાપ લઈ ને બેઠેલો. કાન્ત પ્રિય કવિ. થયું કે આખી બપોર આજે તો વાંચ્યા કરીશું ખંડકાવ્યો, કવ્વાલીઓ, અંજનીગીતો, લિરિકો, વૉટ નૉટ? આકાશે એની એ તારા વાંચ્યું ને પછી, જો જો હોં, કવિવર કાન્તનીય ફિલમ કેવી ઉતારે છે આપડી તોફાની ગુજરાતી ભાષા, તે. ભગવાનની અસીમ કૃપાથી ગદગદ થઈ ને કવિશ્રી એમનો આભાર માનવા ચાહતા હતા; પણ બોલી ઊઠ્યા ઈન્સ્ટેડ કે આપે મને જવરાવ્યો, ને તાતજી! આપે મને નવરાવ્યો પૂરું, પૂર્વાલાપનું આપડું વાચન પૂરું. ને અંદરથી ઘૂંટી પાસેથી ઉભરાયા કરે હાસ્યના પરપોટા રહી રહીને. મને તો ગમી ગઈ છે. આ આપડી ભાષા, જે એના વહાલમાં વહાલા દિકરાનીયે મશ્કરી કરી છે. તે કોણ હશે એનું સહુથી વહાલું સંતાન? — કાઈ મૂંગી છોકરી, સોળેકની? એની સૌજ પાસે બેસીને એના વાળ પંપાળતી હશે, કોઈક એકાન્ત સાંજે, મૂંગી મૂંગી જ, આ ગુજરાતી ભાષા. એનું વાત્સલ્ય જોઈતું હોય તો મૂંગા બનજો. કઈ રીતે જન્મી હશે એ પોતે ? ઓક્ટોબર - ૨૦૧૭ ન હોય! સને ૨૦૧૧ માં તેઓ પૃથ્વી પરથી વિદાય પામ્યાં. આજે પણ તેમની શિષ્યાઓ ડૉ. પુણ્યશીલાજી મહાસતીજી વગેરે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દૂર દૂર વિચરે છે, પણ એવો જ મંગલ ધર્મસ્નેહ રાખે છે. ચતુર્વિધ જૈન સંઘમાં સાધ્વીંગણ પોતાની વિશિષ્ટ મુદ્રા ખડી કરીને જગત કલ્યાણ કરે છે. ડૉ. ધર્મશીલાજી મહાસતીજી એવાં જ એક વિશિષ્ટ સાધ્વીજી હતાં કે જેમણે પોતાની નિર્મળ મુદ્રાથી અંકિત કરેલી પ્રતિભા કદી અસ્ત થવાની નથી. એમની મહાનતાનું સ્મરણ પણ નિરંતર પ્રેરક બની રહ્યું છે. ભાષા સિતાંશુ યશશ્ચંદ્ર વાયસુ ઉડ્ડાવત્તિયએ વિઇ દિઇ સાસત્તિ... પણ પછી ભલ્લા હુઆ જ મારિઆ બહિણિ મહારા કન્તુ જન્મી જ નબાપી? પણ આ તો અનાદિ. ઉલ્લાસ અને વિષાદ. આ વાતો સુખની ને દુઃખની, અનાદિ. અનાદિ એ પણ – ગુજરાતી ભાષા. ભાષા માત્ર. એક અખંડ વહેણ, અમરતનું મંદાકિની કહો, કહો ગંગા, હૂગલીયે કહો, ચિત્ત ચમક્યું તો કહી દરિયો. અનંત પણ એ - ગુજરાતી ભાષા, માત્ર ભાષા અનાદિ, અખંડ, અનંત સુખદુખની વાત, સાંજુકના ઓટલે બેસી એકમેકને કરીએ આપણે; કે રેસ્ટોરાંમાં. ભાષા - કહે જેટલું તેટલું ગોપવે છૂપવે છૂપવે ને કાંક સૂચવી દે એક અણસારે... માડીની આંખ્યોના અણસારે, બાપની બોલાશે.... બોલછા જ તો છે ભાષા. એકેએક શબ્દોચ્ચાર સાથે આખેઆખો માાસ. ગર્ભમાં રહેલા બાળકની આંખો માતાના ચહેરામાં ચમકે એમ તમે ડોકાતી જોઈ છે આખી એ હત્યાની કોઈની અડધાએક શબ્દોચ્ચારમાં એના ? અઘરી છે પણ એ ઉચ્ચાર સાંભળવાની પણ. - ગજું જોઈએ, કોઈએ માણસાઈ જીવનભરની ભાષા માયાસની માણસાઈ છે. પશુઓ બોલી નથી શકતાં, માણસ જ સાર્થ શબ્દ ઉચ્ચારી શકે છે, એમ ભાષાશાસ્ત્રી કહે, એની આ વાત નથી. ભાષા બોલવી એમાં માજાસાઈ હશે. માણસાઈ છે બોલેલું સાંભળવામાં, પ્રબુદ્ધ જીવન ઃ માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક ૩૫

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60