Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 37
________________ અત્યંતર તપ ધ્યાન – કાયોત્સર્ગ સ્વાધ્યાય સુબોધીબેન મસાલીયા ગતાંકથી ચાલુ... આપણે ગતાંકમાં જોયું કે કેવી રીતે જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી જ નથી શકાતું ? સ્વાધ્યાયના ઊંડાણમાં એજ વ્યક્તિ ઉતરી શકશે કે જેને ખરેખર આ ભવભ્રમણથી થાક લાગ્યો છે, જેને ભૌતિક સુખ એ સુખ નહીં પણ દુઃખોની જર્નતા ભાસે છે, જેને રેશમની ગાદીમાં સૂતા હો તો પણ કાંટા પર સૂતા હોય એવું લાગે છે, જેનું મન સતત ઝંખે છે કે આ જન્મ-મરણના ફેરામાંથી ક્યારે મુક્ત થાઉં ને સંપૂર્ણ મુક્તિનો આનંદ અનુભવું.. તો આ કર્મનો બાંધનાર તો આત્મા છે, તો કર્મની નિર્જરા માટેય આત્મા સુધી જ પહોંચવું પડશે. કર્મના ગણિતમાં એવો હિસાબ નથી કે પાંચ પુષ્પકર્મ કર્યાને ત્રણ પાપ કર્મ... તો પાંચમાંથી ત્રણ બાદ કરો હવે બે પુન્યકર્મ ભોગવવાના રહ્યા... જો આવો હિસાબ હોત તો... તો આપણે ક્યારનાય છૂટી ગયા હોત. પાંચ પુન્યકર્મ હોય તો તે પણ ભોગવો ને ત્રણ પાપ કર્મ હોય તો તે પણ ભોગવો અથવા જો હળવા હોય તો ધ્યાન-સ્વાધ્યાય અને કાયોત્સર્ગ દ્વારા નિર્જરો, (આ ત્રણ તપમાં બાકીના નવ તપનો સમાવેશ થઈ જાય છે... કેવી રીતે ? તે આગળ સમજાવીશ.) આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એમ કરતાં કરતાં જ્યારે એક પણ કર્મ સિલકમાં નહીં બચે... ન પાપ કર્મ ન પુન્ય કર્મ... ત્યારે આત્મા મુક્ત થશે. કેમકે કર્મ એજ તો આત્માનો ખોરાક છે... આત્માને ભવ-ભવ-ભવ કરવા માટે અને આપણે એજ કરીએ છીએ કે જૂના નિર્જરતા જઈએ છીએ... ને નવા અંદર નાખતા જઈએ છીએ... (આશ્રવ) આમ જ આપણો આત્મા મુક્ત થતો નથી... જૂના તો નિર્જરવા કમ્પલસરી છે, પણ જો નવા નાખવાના બંધ થાય ને જૂના પૂરેપૂરા ભોગવાઈ જાય તો જ આત્મા મુક્તતાનો આનંદ માણી શકે. એક દૌરાની રીલની કલ્પના કરી. અંદરની જે ‘વચન કાયા તો બાંધીએ, મન નવિ બાંધ્યુ જાય, પૂઠાની રીલ છે તે આત્મા છે. તેના ૫૨ બે કલરનો દોરો વીંટાળેલો મન બાંધ્યા વિશે પ્રભુ ના મિલે, ક્રિયા નિષ્ફળ થાય...' છે. થોડો બ્લેક છે ને થોડો બ્રાઈટ છે. જે ભાગ બ્લેક છે તે પાપ આપણા મનના બે વિભાગ છે. ચેતન મન અને અવચેતન કર્મ અને જે ભાગ વ્હાઈટ છે તે પુન્યકર્મની કલ્પના કરો... જેટલા મન. Concious mind and unconcious mind, શાસ્ત્રની પાપકર્મ ને પુન્યકર્મ નિર્જરતા જાઓ છો તેટલો દોરો રીલ પરથીભાષામાં કહીએ તો લબ્ધિ મન અને ઉપયોગ મન. અત્યારે તમે જે મનનો ઉપયોગ કરી રહ્યા છો તે ચેતન મન, ઉપયોગ મન બૌધિક સ્તરે મેળવેલ સમજની પહોંચ ફક્ત આ જાગૃત મન સુધીની જ હોય છે. વાંચન-શ્રવણ કે ચિંતનથી લીધેલું જ્ઞાન એ આ બૌધિક સ્તર સુધી જ હોય છે. એ જ્ઞાન તો પારકું છે, ઉછીનું લીધેલું છે. એ જ તો જેને એનો અનુભવ થયો એનું જ્ઞાન છે. બૌધિક સ્તરે ઘણું સમજી લીધું કે ‘દેહથી પોતે ભિન્ન છે'. જીવનભર એને લૂંટના પરા કે રહ્યા. પરંતુ જીવનની ઘટનાઓ પ્રત્યે આપણે જે પ્રતિક્રિયા કરતાં એ માટે આપણા ચિત્તના ઊંડાણ સુધી પહોંચી અંદર રહેલા વિકારોને જડમૂળથી ઉખેડીને ના કાઢીએ ત્યાં સુધી વાત બનતી નથી. આપણે જે કાંઈ ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ તે લગભગ ભટકતા ચિત્તે ઉપયોગ શૂન્યપણે થતી રહે છે. જેથી એ મોક્ષસાધક બનતી નથી. જૂઓ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પણ આજ વાત કરી છે. ખુલતો જાય છે. જેટલા પાપકર્મ, પુન્યકર્મ નવા બાંધતા જાવ છો તેટલો દોરો રીલ પર પાછો વીંટળાતો જાય છે. આમ થોડો ધાગો ખૂલે છે ત્યાં પાછો થોડો વિંટળાય છે. આમ ધાર્ગો પૂરેપૂરો ખુલતો નથી ને પૂંઠાની રીલ મુક્ત થતી નથી. જે દિવસે બંને કલરનો કાળો ને ધોળો... ધાગો પૂરેપૂરો ખૂલી જાય છે તે દિવસે અંદરની રીલ ધાગાના બંધનમાંથી મુક્ત થાય છે, મોક્ષ થાય છે. આમ આત્માને ટકી રહેવા માટે (ભવ-ભવ કરવા માટે) કર્મરૂપી ખોરાક જોઈ.... ઓક્ટોબર - ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક જેમ કે આપણા આ પાર્થિવ દેશને ટકી રહેવા માટે ખોરાકની જરૂર છે. શરીર શેનાથી ટકે છે? ખોરાકથી. જો શરીરને ખોરાક ન મળે તો શરીર ખતમ થઈ જાય પણ વ્યવહારમાં તો પાછું એવું નથી દેખાતું. લોકો મહિનો-બે મહિના ઉપવાસ કરે છે, છતાં શરીર તો ટકતું હોય છે. તો આમ કેમ? શું મહિનાઓ સુધી શરીર ખોરાક વગર ટકે છે? ના... શરીરને જ્યારે બહારથી ખોરાક આપવાનો બંધ કરો છો ત્યારે, તેજ ક્ષણે શરીરે પોતાની પાસે સંગ્રહ કરેલો જૂનો ખોરાક જે ચરબીના રૂપમાં છે તે વાપરે છે. શરીર એક લા પણ ખોરાક વગર ટકતું નથી. તમે શરીરને નવો ખોરાક આપો જ નહિ ને જૂનો બધો જ વપરાઈ જાય પછી એક ક્ષણ પણ શરીર ટકી નહિ. બસ આ જ વસ્તુ આત્મા સાથે બને છે, જ્યારે મન-વચનકાયાને સ્થિર કરી નવા કર્મોનો ખોરાક આપવાનો બંધ કરીએ છીએ (સંવર) ત્યારે, તેજ ઘડીએ, તેજ ક્ષણે આત્માએ અનંતા ભર્વાથી સંગ્રહીને રાખેલા કર્મોના ઢગલામાંથી એક એક પ્રતર ઉદિરણામાં આવી નિર્ઝરતી જાય છે... (જો નિર્ઝરતા આવડે તો... નહિ તો કર્મોના ગુણાકાર થાય.) કેવી રીતે તે આગળ જોઈએ.... આમ કરતાં કરતાં જ્યારે જૂના બધા જ કર્યો ખતમ થઈ જાય ને નવો કર્મરૂપી ખોરાક આત્માને મળે નહિ ત્યારે આત્મા મુક્ત થાય છે. ૩૭

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60