Book Title: Prabuddha Jivan 2008 11
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ મિથ્યાત્વની મંદતા થયેલી નથી, એટલે કે મારું મિથ્યાત્વ મંદ થયેલું નથી. જૈનશાસનમાં પ્રવેશ કરવાની એટલે ધર્મકારમાં પ્રવેશ કરવાની ખરેખરી ચાવી જ આ છે. પ્રબુદ્ધ જીવન કોઈપણ શુભ ભાવ આત્મા સાથે જડબેસલાક કરવો હોય તો તેના વિરુદ્ધનો અશુભ ભાવ કાયમ માટે છોડવો પડે. કોઈપણ સંજોગોમાં એ અશુભ ભાવ જાગવો જોઈએ નહિ. તપસ્યા કરનાર જીવ આહાર સંજ્ઞાના ત્યાગનો અભ્યાસ જડબેસલાક બનાવવા વ્રત પચ્ચાખણ વિના પણ ખાણી પીણીનો આનંદ કે લોલુપતા બતાવી શકે નહિ. અને અશકારી પદ મેળવવાના ધ્યાનમાં ખાવું એને સજા જેવું લાગે. આ પ્રમાણેની આત્મદશા કોઈપણ શુભભાવ કે આત્મગુણ માટે આજીવનમાં જો કાયમની થાય તો શ્રાવક જીવન સફળ થયું ગણાય. આના માટે જૈનદર્શનમાં બતાવેલી ૧૨ ભાવના કે મન્હ જિણાંણું સજઝાયમાં આપેલા શ્રાવકના ૨૬ કર્તવ્યોમાંથી કોઈપણ એક ગુણ આત્મસાત કરવો જોઈએ. બાકી રહેલી જીંદગીમાં બધામાં મહેનત કરવાને બદલે કોઈપણ એક ગુણ આત્મસાત કરવા માટે આપણા જીવનનો ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવશે એ જ વિચારવું જોઈએ. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્ ૯૪, લાવણ્યા સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. નઃ (૦૭૯) ૨૬૬૦૪૫૯૦ શ્રી ચંદ્રકાંતભાઈ પરીખ હવે સ્મૃતિ શેષ... ! ઊગે ને આથમે વર્ષો ઓટ ને ભરતી ભર્યા. સ્નેહથી સંચવું સાથે દેવી ! તે દમ્પતી નર્યા. મોહનખેડા તીર્થથી અમે શિવપુરીનો પ્રવાસ આરંભ કર્યોપણ વરસાદે અમારા પ્રવાસની દિશા બદલી નાંખી. આગળ જઈ શકાય એમ ન હોઈ અમે ગુનામાં વિશ્રામ અને રાત્રિરોકાણ માટે જગ્યાની શોધમાં લાગ્યા. એમાં નિષ્ફળતા મળી, પણ એક અનોખા નીર્થમાં જવાનો માર્ગ ખુલ્લો. જિલ્લા મુખ્યાલય ગુનાથી માત્ર ૭ કિ.મી. દૂર દક્ષિણ દિશામાં ગુના–આરોન-સિરીંજ માર્ગ ૫૨ સ્થિત બજરંગગઢમાં રાતવાસો કરવાની સગવડ મળી રહેશે. જાણી અમે હંકારી મૂક્યું! ચૌપેટ નદીના કિનારે વસેલું બજરંગગઢ ગામ નવેમ્બર ૧૯૯૨ સુધી જિલ્લાનું મુખ્યાલય હતું. અહીં આજે પણ સેંકડો વર્ષ પહેલાંનો વિશાળ કિલ્લો આ ગામની ભવ્યતાના દર્શન કરાવવાની સાથે પોતાનું ઐતિહાસિક ગૌરવ સ્વયં પ્રસ્તુત કરે છે. કિલ્લામાં પ્રસિદ્ધ હનુમાન મંદિર પણ છે. કિલ્લાની અંદર સ્થિત મોતીમહલ તત્કાલીન મહારાજાનું વિચારવિમર્શ સ્થળ પ્રતીત થાય છે. અહીં બેસીને ગામના પ્રત્યેક ખૂશૈખૂણા પર નજર રાખી શકાય એવી એની રચના છે. મોતીમહલના પાંચમા માળે બેસીને ચોપેટ નદીના કલકલ નિનાદથી અને ઠંડી હવાની લહેરખીઓથી કોઈપણ પ્રવાસી ૧૫ શ્રી ચંદ્રકાંતભાઈ કેશવલાલ પરીખ અને એનો શ્રીના ફુલવધુ શ્રીમતી પુષ્પાબહેન પરીખ દાયકાઓથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંનિષ્ઠ કાર્યકરો અને યુવક સંઘની પ્રત્યેક પ્રવૃત્તિમાં તન-મન-ધનથી પ્રેરક બળ. આ યુગલનું જીવન એટલે એક આદર્શ અને ઉત્તમ દામ્પત્ય જીવન. તા. ૨૮-૧૦-૨૦૦૮ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં આ દામ્પત્ય દેહથી ખંડિત થયું. શ્રી ચંદ્રકાંતભાઈ આ ધરતીથી એકાએક વિખુટા પડી ગયા! પ્રાચીન નગર બજરંગગઢ ગીતા જૈન શ્રી ચંદ્રકાંતભાઇએ પોતાનું જીવન પોતે ઘડ્યું અને અન્યોને પ્રેરણા આપી. શ્રી ચંદ્રકાંતભાઈ કુટુંબપ્રેમી, કુશળ વેપારી, સામાજિક કાર્યકર અને વિશેષ તો બહુશ્રુત વિદ્વાન હતા. વિવિધ ભાષાના અનેક ગ્રંથોનું એઓશ્રીએ અધ્યયન કર્યું હતું, અમારા માટે એઓ પૂછવાનું એક સ્થાન હતા. એઓશ્રીના દેહ વિદાયથી માત્ર એમના કુટુંબને જ નહિ પણ સમાજ અને આ સંસ્થાને ન પૂરાય એવી ખોટ પડી છે. એ બહુશ્રુત આત્મા જ્યાં હશે ત્યાં શાંતિમાં જ હશે. અમારી શ્રદ્ધાંજલિ ! પ્રમુખઃ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પોતાના સંપૂર્ણ થાકને ભૂલી શકે છે. આની સામે રાણીવાસ આવેલો છે. આ મહેલની સામે બનેલા ચા૨ કુંડોમાં હોળીના દિવસે રંગોત્સવ મનાવવામાં આવતો હતો. દરેક કુંડ ૨૦ ફૂટ લાંબો અને ૬ ફૂટ પહોળો છે. આ જોતાં જ ધુર્બેટીનો આનંદ આપણા મનમાં પણ છવાઈ જાય છે. સંવત ૧૮૭૨ની ચૈત્રવદી એકમે જ્યારે ફ્રાંસના સેનાપતિ સર જોન બેપ્ટિસે આ કિલ્લા ૫૨ રાત્રિના સમયે ચઢાઈ કરી ત્યારે તત્કાલીન મહારાજા જયસિંહ સાથે એનું ધમસાણ યુદ્ધ થયું હતું. પોતાની હારને પામી ગયેલા મહારાજાએ પોતાની રાણીઓના સતીત્વની રક્ષા માટે, એમને આ રાણીવાસની પાછળની બાજુએ વતી દિવાલમાં ચણી દીધી હતી. કિલ્લાની અંદર રાખવામાં આવેલ ‘રામબાણ તોપ' પોતાના વૈભવની ગાયા પોતે જ કહે છે, એની પર લખેલ લેખથી પ્રગટ થાય છે કે એની પ્રતિષ્ઠા ‘માય સુદી ૧ બૃહસ્પતિવાર સંવત ૧૭૭૫'માં કરવામાં આવેલ તથા જાણકારી મળે છે કે એને બનાવવામાં એ સમયે ૩૨,૦૦૦ રૂા.નો ખર્ચ થયો હતો. આ તોપ બાર ફૂટ લાંબી છે. કિલ્લાની અંદર આઠ ધાતુથી નિર્મિત

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28