Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 11
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો જોઈએ. ઉલૂઘખાનના આક્રમણ વખતે ફરીથી આ મંદિરનો નાશ થયો હશે અને ૧૪મા શતકના પહેલા દશકામાં અંબિકાની પ્રતિમાના શિલાલેખમાંથી જે પરોક્ષ નિર્દેશ સાંપડે છે તે અન્વયે એ કાળે એનો પુન્દ્ધાર થયો હશે. ત્યાર પછી ૧૭મા સૈકાના જીર્ણોદ્ધારની વાત તો આપણે કરી ગયા. (૩) કાલક્રમાનુસાર ચંદ્રપ્રભ પછી બંધાયેલું મંદિર કુમારપાળ કારિત પાર્શ્વનાથ-ચૈત્ય હતું. એની શોધ માટે ગામની મધ્યમાં આવેલી આશરે ત્રણસો જેટલા દેવાલયના મંડપોમાં હોય તેવી કારીગરીવાળા સ્તંભો ધરાવતી જુનામસ્જિદ તરફ વળીએ; એમાં સારી સંખ્યામાં બ્રાહ્મણીય અને જૈન સંપ્રદાયના મંદિરના અવશેષો છુપાયેલા છે. આ સ્થળે સૂર્યમંદિર હોવાનો અને સૂર્યકુંડ પૂરીને મસ્જિદનો વચલો ભાગચો—બનાવ્યો હોવાનો તર્ક કઝિન્સ કરે છે. પ્રભાસપાટણની બ્રાહ્મણ-અનુશ્રુતિ પણ આ જ કથા કહે છે. આ માન્યતાનું સમર્થન દીવાન રણછોડજી પોતાની ‘સોરઠી તવારીખ'માં કરે છે”. પરંતુ સ્કંદપુરાણના કથન અનુસાર સોમનાથની ઉત્તરે આવેલા સામ્બાદિત્યનું મંદિર એમાં આપેલી ધનુષ-ગણતરીના આધારે આ મસ્જિદના સ્થાન સાથે બંધબેસતું નથી. આ સામ્બાદિત્યનું મંદિર સોમનાથ અને મસ્જિદ એ બન્ને વચ્ચેના કોઈ સ્થળ પર હશે. સ્કંદપુરાણમાં ઉલ્લેખાયેલાં તમામ બ્રાહ્મણીય મંદિરોને એક નકશા પર ઉતારતાં એમ જણાય છે કે આ મસ્જિદના સ્થળ જેટલા ભાગમાં શૂન્યાવકાશ રહે છે. આ ઘટના જરા આશ્ચર્યજનક લાગે છે; પણ એનું કારણ એ જણાય છે કે આ મસ્જિદને મૂળ સ્થાને એકથી વધુ વિશાળ જૈન મંદિરો ઊભાં હશે અને પ્રભાસખંડકાર આ નોંધ ન લે એ તદ્દન સ્વાભાવિક છે. ૨૧૧ પ્રભાસનાં કેટલાંક જૈન મંદિરોના અસ્તિત્વના અનુમાનને સંપૂર્ણ સમર્થન આપી રહેતાં પ્રમાણો તો આ જ મસ્જિદની અંતર્ગત રહેલા સ્થાપત્યના સહજ અવલોકનથી આપોઆપ મળી રહે છે. જુમામસ્જિદનો પ્રવેશમંડપ છોડી આગળ રહેલ વિશાળ ચોગાન વટાવી બંદગીગૃહમાં આવી પહોંચતાં ત્યાં સ્તંભો વડે ટેકાવેલા પાંચ વિતાનો નજરે પડે છે. એમાંનો વચલો વિતાન છોડતાં બાકીના ચાર વિતાનો સાદા છે, પરંતુ આ મધ્યનો વિતાન ધ્યાન ખેંચે તેવો પૂર્ણ અલંકારમય છે. વચમાં અઠ્ઠાંશ કરી દ્વાદશ સ્તંભો પર આ સુંદર છતને ટેકવેલી છે. આ સ્તંભો બધા લગભગ એકસરખી કોરણીવાળા અને ૧૨મા શતકમાં બંધાયેલા સેજકપુરના પ્રસિદ્ધ નવલખા મંદિરના સભામંડપના અડ્ડાંશ સ્તંભોને મળતા આવે છે. અાંશના ભારપટ્ટની સંધો પર પરિકર્મ કરેલાં છે; તેમાંથી મૂર્તિઓ તો નષ્ટ થઈ ચૂકી છે. વિતાનનાં અંગઉપાંગો જોવા જેવા છે. કર્ણદર્દરિકા ઉપરના રૂપકંઠમાં જિન-દર્શને જતા લોક-સમુદાયનાં દશ્યો એમાં આલેખાયેલાં છે. રૂપકંઠમાં મદલ (ઘોડા) ઘાટના સોળ વિદ્યાધરો શોભી રહ્યા છે. એની ઉપર વિદ્યાદેવીઓ માટેનાં આસનો ખાલી પડેલાં છે. રૂપકંઠ ઉપર ગજતાલુના ત્રણ થર અને ત્યારબાદ ત્રિખંડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25