Book Title: Pathik 1985 Vol 25 Ank 03
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २० ડિસેમ્બર/૮૫ પથિક ૧૭ મી સદીમાં ધર્મઝનૂને મૂર્તિને ખ`ડિત કરેલ દેખાય છે. હિંદુશિલ્પમાં આદર્શ શિવશક્તિ ને પૂર્ણ સ્ત્રીશક્તિ દાખવતા શિલ્પભ ડાર ઈÀારામાં છે. શિવ-પાતીના વિવાહનું તેા અહીના શિલ્પીઓએ અદ્ભુત નાટક પાષાણુમાં રચેલ છે. બંગાળમાં ગુપ્તકલા પાલસમય ઈ. સ. ૭૫૦-૧૧૫૦ માં પાંગરી, પાલ રાજવીએ સમર્થ હતા. ધાતુમૂર્તિમાં પાલકલા વિશેષ ઊતરી છે. તારા ખુદ્દ અને ગંગાની મૂર્તિએ બહુ સુંદર થઈ. મ્યુઝિયમેામાં એ દેખાય છે. ઇતિહાસકાર તારાનાથ કહે છે કે બંગાળમાં એ સમર્થ ક્લાકાર થયા, ધીમન ને વિતમાલ, ઈ. સ. ૧૦૦૦ પછી આ કલા નકલી બની ગઈ. મુખ્તયાર ખલજી વગેરેનાં અક્રમા ને ભાંગફોડથી આ પ્રદેશનાં સાહિત્ય કલા રાળાઈને લુપ્ત થયાં, ગુપ્ત સમ્રાટા તથા હ" અને પાલ રાજાએથી રક્ષિત નાલંદાના ધ્વંસ થયા, ભારતીય સંસ્કૃતિને ખાને તારાજ કરાયા. યુગે યુગે રક્ષિત નાલા સ્તૂપ પુરાવશેષરૂપે દેખાય છે, જે છઠ્ઠી સદીનેા છે. મંગાળના કલાકારા નેપાલમાં આશ્રય લઈ રહ્યા. ત્યાં બંગાળી કલા સમૃદ્ધ બની અને મહાયાની બૌદ્ધોની મૂર્તિકલાને અવકાશ મળ્યે, તારા અવલે કિતેશ્વર અને વિષ્ણુની તામ્રપ્રતિમાએ નવમી સદીની નેપાલી છે. નેપાલી કલા તિબેટમાં ગઈ, મગધમાંથી પ્રાપ્ત નવમી સદીની ઉમા-મહેશની પાષાણુ–પ્રતિમા ઘણી સુંદર છે. ચતુર્ભુÖજ શિવના વામાંકમાં બેઠેલ ભુિજ પાર્વતી એના લાક્ષણિક ભાવ નીતરતું શિલ્પ છે. નેપાલી રાજકન્યા દાયામાં તિબેટમાં કલાભડાર લઈ ગઈ હતી. નેપાલી કલાકાર આરણિકને તિબેટનું નિમ...ત્રણ મળતાં ત્યાં ગયા, ત્યાંથી કુબલાઈખાનના તેડાવવાથી એ ચીન ગયા હતા. કલા પણ કલાકાર સાથે નેપાલથી તિભેટ અને ચીન ગઈ. નેપાલી કલાસ'સ્ટાર હજુ જીવે છે, કખેાજમાં અગકારવાટનાં શિખર નેપાલનાં મદિર-શિખરને મળતાં લાગે છે, એ યાદ આવે છે. જી་દેલખંડમાં મહમૂદ ગઝનવીનાં ભયંકર મેાજા એ પછી ધ્વાંસમાંથી બચી ગયેલ ઝાડીમય પ્રદેશમાં ચંદેલા રાજાએ ખજૂરાહોનાં મંદિર ધાવ્યાં. આમાં ૧૧ મી સદીમાં થયેલ કંદ મહાદેવ – કંડારિયા મહાદેવનું મંદિર ૧૦૯', ૧૬૦', ૬૬'ના માપનું સર્વશ્રેષ્ઠ મહામદિર છે. સ્થાપત્ય-શિલ્પની ઉન્નત કલા આ મંદિરને જગપ્રસિદ્ધ બનાવે છે. ચંદેલા પ્રતિહાર સામ્રાજ્યના ખડિયા હતા. આ મદિરામાં પ્રતિહાર-શૈલી ઊતરી છે. કંડારિયા મહાદેવ મંદિરના ઉન્નત માંડોવર પર છૂટથી મૂકેલ દેવ-દેવીઓ અને પુરુષ-સ્ત્રોના મેાટી મૂર્તિ એના શાસનથર અનન્ય છે. આ પ્રતિમાગ્યે સશક્ત ઊર્ધ્વદૃષ્ટિ જીવનના પરમ આનંદ અને પ્રેમભાવની સનાતન કહાણી વ્યક્ત કરે છે. નિરાળી ભાવભ ́ગીમાં નૃત્યાંગનાએ છે. માતા બાળકની મૂર્તિમાં વાત્સલ્ય અને અધીરાઈના ભાવ દેખાય છે. એકબીન્તને આલિંગન આપતાં મિથુનાનાં નાક એકબીજાને લગભગ અડે છે એમાં જીવંત થડકાટ જોઈ શકાય છે. શિવ પાર્યંતીનો શ્રેષ્ઠ સ્મૃતિ" અહ્વાહાબાદ મ્યુઝિયમમાં છે, જેમાં શિવજીના કર્તાહર્તાના સૌમ્ય પુરુષભાવ દેખાય છે. ખજૂરાહેાના સમૂહમાં કંડારિયા મહાદેવ અને લક્ષ્મણુમ ંદિર એના સ્થાપતની દૃષ્ટિએ વિખ્યાત છે. અગિયારમી સદીના વિદેશી મુસાફર અઞીરનીએ એના સરનામામાં ખજૂરાહોના નિર્દેશ કર્યા છે, જ્યારે ચૌદમી સદીના અરળ યાત્રી ઇબ્ન ખડૂતાએ તા ‘ખારા'નું સારું વર્ણન કર્યું છે, મહમૂદના ગયા પછી ગુજરાતમાં શિલ્પીઓનાં ટાંકણાં મેવડાં જોર અને ઉત્સાહથી કામે લાગ્યાં. રાજાએ સરદારા અને શ્રેષ્ઠીએએ એટલી જ ઉદારતા અને ધર્મની ધગશથી મદિરાના ફરીથી દ્દાર કર્યા, નવાં નિર્માણ કર્યાં. આજી-દેલવાડા મેઢેરા ગિરનાર-શેત્રુજાનાં ને સૌરાષ્ટ્ર-કચ્છનાં મદિર થયાં. ગ્વાલિયરનું સહસ્રભાડું મંદિર ઈ. સ. ૧૦૯૩ માં પરમાર રાજાએ બધાવ્યું. ધારાનગરીમાં ભાજ પરમારે સરસ્વતીસદન બંધાવ્યું હતું, જે પાછળથી મસ્જિદના રૂપમાં ફેરવાયું. આ સ મશિનાં સ્ત ંભા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35