Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 75
________________ પાછળ ચિત્રમાં દર્શાવેલ સિંહાસનસ્થ અરિહંતનું આલંબન લઇને સમવસરણમાં બિરાજમાન અરિહંત પરમાત્માનું અહીં દર્શાવેલ રૂપસ્થ ધ્યાન કરવું. ચાલો, નિમ્નોક્ત પરમાત્માની છબીને લલાટપટ્ટ ઉપર કે હૃદયકમળમાં ઉપસાવવાનો પ્રયત્ન કરીને આગળ વધીએ. શ્વેત ભામંડળ વચ્ચે કાંચનવર્ણમય સિંહાસન ઉપર ભગવાન બિરાજમાન છે. પ્રભુનો જમણો પગ રત્નના પાદપીઠ ઉપર અને ડાબો પગ જમણાપગ ઉપર છે. તેમની આંખોમાં નિર્વિકારિતા ઉભરાય છે. મુખ પર અત્યંત મૃદુતા છવાયેલ છે. સમગ્ર શરીરમાંથી પરમ પવિત્રતા, જગતના જીવો માટે નિર્દોષ વાત્સલ્ય, નિઃસ્વાર્થ કરુણા, મંગલમૈત્રી વગેરે ભાવો છલકાય છે. તે ભાવો પ્રભુના આત્મામાંથી ઉછળે છે અને સંપૂર્ણ સમવસરણ તેનાથી છલકાય છે. નીચે મોટું-વચ્ચે થોડું નાનું અને ઉપર તેનાથી પણ નાનું એ ક્રમથી ચાંદીના ત્રણ છત્ર શોભે છે. ભગવાનની પાછળ ઉપરના ભાગમાં અશોકવૃક્ષ ૧ યોજનનું દેખાય છે. તેના ઉપર ચૈત્યવૃક્ષ છે. ઇન્દ્રો ચામર ઢાળે છે. દૂરથી ભગવાન દેખાય છે. આકાશમાં દેવદુંદુભિ વાગે છે. દિવ્ય સંગીત સંભળાય છે. માલકૌશ રાગમાં પ્રભુની દેશના ચાલુ છે. ભગવાનની દેશના વૈરાગ્ય-ઉપશમભાવની જનની છે. પ્રશમરસ દેશનામાં છવાયેલ છે. સમવસરણનું વાતાવરણ આલ્લાદક છે. ત્યાં ત્રણ ગઢ છે. પહેલો ગઢ ચાંદીનો અને તેના ઉપર સોનાના તેજસ્વી કાંગરા છે. બીજો ગઢ સોનાનો છે અને રત્નના કાંગરા છે. ત્રીજો ગઢ રત્નનો છે અને માણેકના કાંગરાથી તે કંડારાયેલો છે. આવું ભવ્ય અને દિવ્ય છે સમવસરણનું દર્શન. ભગવાન નિઃસ્વાર્થ કરુણાથી દેશના આપી રહ્યા છે. કરોડો દેવીદેવતા ઉપસ્થિત છે. પહેલો કિલ્લો વાહન માટે છે, બીજો ગઢ પશુઓથી ભરેલો છે. ત્રીજા ગઢમાં ૧૨ પર્ષદા બિરાજમાન છે. દેશના સાંભળતા સાપ-નોલિયો પરસ્પર વેર ભૂલી ગયા છે. વાઘ-વાછરડું બાજુમાં બેઠાં છે. ગરોળી અને માખી બાજુમાં ગોઠવાયા છે. પ્રભુના સાનિધ્યમાં વેર વિસર્જન કરીને વાત્સલ્યના વર્તુળમાં સર્વે જીવી રહેલ છે. આવું અપૂર્વ દર્શન, દિવ્યદર્શન, કદાપિ ન જોયેલ વાતાવરણનું દર્શન કરીને આપણો અવતાર ધન્ય થયો. જીવન કૃતાર્થ બન્યું. બાર પર્ષદા = ચાર પર્ષદા દેવોની + ચાર પર્ષદા દેવીઓની + ચાર પર્ષદા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની હોય છે. જૈન ધ્યાન માર્ગ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86